મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા


SHARE













માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા

વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો આજે વહેલી સવારે મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર અકસ્માત થયો હતો અને માળીયા તાલુકાનાં વધારવા ગામના પાટિયા પાસે વોલ્વો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરોમાંથી 15 જેટલા મુસાફરોને ઇજાઓ થયેલ છે જેથી કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીન્સે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે આજે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વડોદરા થી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલવો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ બસમાં બેઠેલા મુસાફરોમાંથી ૧૫ થી વધુ મુસાફરોને નાના મોટી ઈજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (૪૨) રહે. ધોળકા, વિનુભાઈ પરમાર (૪૫) રહે. અમદાવાદ, વિજયભાઈ  રામચંદ્ર ગુપ્તા (૨૩) રહે. અમદાવાદ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (૨૪) રહે. આણંદ, સૌરભ સોની (૩૦) રહે. બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (૩૪) કલ્પના દિપક આણંદ દાની (૩૪) રહે. આદિપુ, રવિભાઈ પટેલ (૩૧) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (૩૨) રહે. ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (૫૮), રહે.કચ્છ, કાનો દિનેશભાઇ (૧૯) રહે.અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ (૫) રહે. સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (૪૦) રહે. ગાંધીધામને ઇજાઓ થયેલ છે જેથી કરીને તે તમામને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવેલ છે વધમાં બસમાં બેઠેલા મુસાફરો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે બસમાં બધા જ મુસાફરો સૂતા હતા ત્યારે આચનાક જ બસ રોડ સાઇડમાં નીચે ઉતરી ગઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને ડ્રાઇવરને સવારે જોકું આવી ગયું હોવાથી આ અકસ્માતનો બનાવ બન્યો હોવાનું પણ મુસાફરો કહી રહ્યા હતા






Latest News