મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા


SHARE











માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા

વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો આજે વહેલી સવારે મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર અકસ્માત થયો હતો અને માળીયા તાલુકાનાં વધારવા ગામના પાટિયા પાસે વોલ્વો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરોમાંથી 15 જેટલા મુસાફરોને ઇજાઓ થયેલ છે જેથી કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીન્સે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે આજે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વડોદરા થી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલવો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ બસમાં બેઠેલા મુસાફરોમાંથી ૧૫ થી વધુ મુસાફરોને નાના મોટી ઈજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (૪૨) રહે. ધોળકા, વિનુભાઈ પરમાર (૪૫) રહે. અમદાવાદ, વિજયભાઈ  રામચંદ્ર ગુપ્તા (૨૩) રહે. અમદાવાદ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (૨૪) રહે. આણંદ, સૌરભ સોની (૩૦) રહે. બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (૩૪) કલ્પના દિપક આણંદ દાની (૩૪) રહે. આદિપુ, રવિભાઈ પટેલ (૩૧) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (૩૨) રહે. ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (૫૮), રહે.કચ્છ, કાનો દિનેશભાઇ (૧૯) રહે.અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ (૫) રહે. સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (૪૦) રહે. ગાંધીધામને ઇજાઓ થયેલ છે જેથી કરીને તે તમામને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવેલ છે વધમાં બસમાં બેઠેલા મુસાફરો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે બસમાં બધા જ મુસાફરો સૂતા હતા ત્યારે આચનાક જ બસ રોડ સાઇડમાં નીચે ઉતરી ગઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને ડ્રાઇવરને સવારે જોકું આવી ગયું હોવાથી આ અકસ્માતનો બનાવ બન્યો હોવાનું પણ મુસાફરો કહી રહ્યા હતા






Latest News