મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા


SHARE





માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા

વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો આજે વહેલી સવારે મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર અકસ્માત થયો હતો અને માળીયા તાલુકાનાં વધારવા ગામના પાટિયા પાસે વોલ્વો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરોમાંથી 15 જેટલા મુસાફરોને ઇજાઓ થયેલ છે જેથી કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીન્સે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે આજે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વડોદરા થી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલવો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ બસમાં બેઠેલા મુસાફરોમાંથી ૧૫ થી વધુ મુસાફરોને નાના મોટી ઈજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (૪૨) રહે. ધોળકા, વિનુભાઈ પરમાર (૪૫) રહે. અમદાવાદ, વિજયભાઈ  રામચંદ્ર ગુપ્તા (૨૩) રહે. અમદાવાદ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (૨૪) રહે. આણંદ, સૌરભ સોની (૩૦) રહે. બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (૩૪) કલ્પના દિપક આણંદ દાની (૩૪) રહે. આદિપુ, રવિભાઈ પટેલ (૩૧) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (૩૨) રહે. ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (૫૮), રહે.કચ્છ, કાનો દિનેશભાઇ (૧૯) રહે.અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ (૫) રહે. સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (૪૦) રહે. ગાંધીધામને ઇજાઓ થયેલ છે જેથી કરીને તે તમામને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવેલ છે વધમાં બસમાં બેઠેલા મુસાફરો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે બસમાં બધા જ મુસાફરો સૂતા હતા ત્યારે આચનાક જ બસ રોડ સાઇડમાં નીચે ઉતરી ગઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને ડ્રાઇવરને સવારે જોકું આવી ગયું હોવાથી આ અકસ્માતનો બનાવ બન્યો હોવાનું પણ મુસાફરો કહી રહ્યા હતા




Latest News