મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા


SHARE







માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા

વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો આજે વહેલી સવારે મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર અકસ્માત થયો હતો અને માળીયા તાલુકાનાં વધારવા ગામના પાટિયા પાસે વોલ્વો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરોમાંથી 15 જેટલા મુસાફરોને ઇજાઓ થયેલ છે જેથી કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીન્સે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે આજે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વડોદરા થી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલવો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ બસમાં બેઠેલા મુસાફરોમાંથી ૧૫ થી વધુ મુસાફરોને નાના મોટી ઈજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (૪૨) રહે. ધોળકા, વિનુભાઈ પરમાર (૪૫) રહે. અમદાવાદ, વિજયભાઈ  રામચંદ્ર ગુપ્તા (૨૩) રહે. અમદાવાદ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (૨૪) રહે. આણંદ, સૌરભ સોની (૩૦) રહે. બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (૩૪) કલ્પના દિપક આણંદ દાની (૩૪) રહે. આદિપુ, રવિભાઈ પટેલ (૩૧) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (૩૨) રહે. ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (૫૮), રહે.કચ્છ, કાનો દિનેશભાઇ (૧૯) રહે.અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ (૫) રહે. સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (૪૦) રહે. ગાંધીધામને ઇજાઓ થયેલ છે જેથી કરીને તે તમામને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવેલ છે વધમાં બસમાં બેઠેલા મુસાફરો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે બસમાં બધા જ મુસાફરો સૂતા હતા ત્યારે આચનાક જ બસ રોડ સાઇડમાં નીચે ઉતરી ગઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને ડ્રાઇવરને સવારે જોકું આવી ગયું હોવાથી આ અકસ્માતનો બનાવ બન્યો હોવાનું પણ મુસાફરો કહી રહ્યા હતા






Latest News