માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા
મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર બાઇક ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર બાઇક ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે બે દિવસ પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મકનસર ગામના યુવાનનું મોત નિપજયુ હતું અને એક વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે અકસ્માત સર્જનાર અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધાયો છે
મોરબી તાલુકા પોલીસ મથકે મોરબીના નવા જાંબુડિયા ગામે રહેતા કલ્પેશભાઇ લવજીભાઇ ભંખોડીયા (૧૯)એ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મકનસર ગામે રહેતા મનહરભાઈ ઠાકરશીભાઈ પ્રજાપતિ (૪૮) તથા તેમની સાથે એક વ્યક્તિ બાઈકમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એક્સલ સીરામીક નજીક ડિવાઇડર વચ્ચેથી રોડ ઉપર આદું બાઇક અજાણ્યા શખ્સે ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઘટના સ્થળે જ મનહરભાઈ પ્રજાપતિ નામના યુવાનનું મોત નિપજયુ હતું અને તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે હાલમાં ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સબીર અબ્દુલ ફકીર (૨૮) નામના યુવાનને તેના ઘર પાસે બપોરના બે વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શંકરભાઈ છગનભાઈ રાવળદેવ (૪૫) રહે. પાડાપુલ નીચે ઝૂંપડપટ્ટી વાળાને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે