મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર બાઇક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર બાઇક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે બે દિવસ પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મકનસર ગામના યુવાનનું મોત નિપજયુ હતું અને એક વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે અકસ્માત સર્જનાર અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધાયો છે

મોરબી તાલુકા પોલીસ મથકે મોરબીના નવા જાંબુડિયા ગામે રહેતા કલ્પેશભાઇ લવજીભાઇ ભંખોડીયા (૧૯)એ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મકનસર ગામે રહેતા મનહરભાઈ ઠાકરશીભાઈ પ્રજાપતિ (૪૮) તથા તેમની સાથે એક વ્યક્તિ બાઈકમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એક્સલ સીરામીક નજીક ડિવાઇડર વચ્ચેથી રોડ ઉપર આદું બાઇક અજાણ્યા શખ્સે ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઘટના સ્થળે જ મનહરભાઈ પ્રજાપતિ નામના યુવાનનું મોત નિપજયુ હતું અને તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે હાલમાં ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સબીર અબ્દુલ ફકીર (૨૮) નામના યુવાનને તેના ઘર પાસે બપોરના બે વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શંકરભાઈ છગનભાઈ રાવળદેવ (૪૫) રહે. પાડાપુલ નીચે ઝૂંપડપટ્ટી વાળાને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News