મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરની દોશી હોસ્પિટલમાં 28 સુધી નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ


SHARE











વાંકાનેરની દોશી હોસ્પિટલમાં 28 સુધી નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ

વાંકાનેરમાં આવેલ દેવદયા ચેરી ટ્રસ્ટ સંચાલીત એન.આર. દોશી આંખની હોસ્પીટલ ખાતે તા.21થી 28 સુધી નિ:શુલ્ક નેત્રરોગ નિદાન તથા સારવાર માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે લોકોની આંખોની તકલીફો વધી હોવાની અનેક ફરીયાદોને ધ્યાને લઈ આવા કેમ્પોની જરૂરીયાત વર્તાઈ રહી હતી.

ત્યારે વાંકાનેરની દોશી હોસ્પીટલ ખાતે યુકેના દાતાઓના સહયોગથી આ પાંચમા વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરાયું છે. આ મેગા કેમ્પના ઉદઘાટન પ્રસંગે કેમ્પના દાતા અને યુકે સ્થીત જશોદા ફાઉન્ડેશન વતી પોરબંદરના વતની મનોજભાઈ, ભાનુમતીબેન ખાણપાણીયા પરીવાર ઉપરાંત યુકે સહીત અન્ય વિદેશથી ખાસ મહેમાનો તેમજ હોસ્પીટલના ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતા, અનુભાઈ મહેતા તથા રાજ પરીવારના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ સહિત આમંત્રીત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી સારવાર આપવામાં આવશે આ મેગા કેમ્પમાં યુકેના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે તેમ દોશી હોસ્પીટલના મેનેજર ધવલભાઈ કથીરીયા તથા ટ્રસ્ટી લલીતભાઈ મહેતાએ જણાવ્યું હતું. આ મેગા કેમ્પનો લાભ લેવા વાંકાનેર તતા આ પંથકના દર્દીઓની સવારથી જ લાઈનો જોવા મળી હતી. આ મેગા કેમ્પ ઉદઘાટન પ્રસંગે લલીતભાઈ મહેતા તથા કેશરીદેવસિંહજી ઝાલા (રાજ પરીવાર વાંકાનેર) તથા ચેમ્બર પ્રમુખ ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. શ્રી મહેતા દ્વારા હોસ્પીટલની કામગીરી વર્ણવી હતી.






Latest News