મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

પતિના વ્યસન છોડાવીને બચતની રકમ પત્ની સમાજમાં આપે: મોરબી જિલ્લા ઉમિયા પરિવારના સમૂહલગ્નમાં કાંતિભાઈ અમૃતિયાની ટકોર


SHARE











પતિના વ્યસન છોડાવીને બચતની રકમ પત્ની સમાજમાં આપે: મોરબી જિલ્લા ઉમિયા પરિવારના સમૂહલગ્નમાં કાંતિભાઈ અમૃતિયાની ટકોર

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન ચાંચાપર ગામે કરવામાં આવ્યું હતું તેમાં એક જ માંડવા નીચે ૫૬ નવ યુગલએ સંતો મહંતો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડ્યા હતા ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ એવી મહિલાઓને એવી ટકોર કરી હતી કે, તમારા પતિને કોઈ પણ વ્યસન હોય તો તે છોડાવો અને તે બચતની રકમ સમાજ ઉપયોગી કામ કરતી સંસ્થામાં આપશો તો પણ તમારું મોટું યોગદાન ગણાશે

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખતે સમાજની ૫૬ દીકરીઓના સમાજના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં સમૂહલગ્ન યોજાયા હતા આ તકે સીદસર મંદિરના ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, બગથળા નકલંક મંદિરના મહંત દમજીભગત, ગોવિંદભાઇ ધોળકિયા, આર.પી.પટેલ, નેવીલભાઈ પટેલ, ગોવિંદભાઇ વરમોરા, પ્રવીણભાઈ ભાલોડીયા, વાલજીભાઇ ફળદુ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા અને બ્રિજેશભાઇ મેરજા, બાબુભાઇ ઘોડાસરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા

આ સમૂહલગ્નમાં દીકરીઓને દાતાન સહયોગથી આયોજકો તરફથી સોનાથી લઈને સોય સુધી કુલ મળીને ૬૮ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આપવામાં આવી હતી અને મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ કૈલાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે સમાજના નબળા વર્ગના લોકો જ સમૂહલગ્નમાં જોડાય તે વ્યાખ્યાને પાટીદાર સમજે બદલી નાખી છે અને છેલ્લા વર્ષોમાં આ સમિતિ દ્વારા દાતાના સહયોગથી કુલ મળીને ૧૬૦૦ થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે તો આગેવાનો તેમજ સંતોએ પ્રાસંગિક પવચન કર્યું હતું

જો કે, કાંતિભાઈ અમૃતિયાએ વ્યાજના વિશ ચક્રમાં ફસાયેલા સમાજના યુવાનો સહિતનાઓએ કોઈનો પણ ડર રાખવાની જરૂર નથી વ્યાજખોરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ સામાન્ય રીતે સમાજના કામ માટે પુરુષો જ ફાળો આપતા હોય છે ત્યારે પતિનીઓ તેના પતિને કોઈ પણ વ્યસન હોય તો તે છોડાવીને તે બચતની રકમ સમાજ ઉપયોગી સંસ્થામાં આપશે તો તેનું તે મોટું યોગદાન ગણાશે






Latest News