મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ


SHARE











મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમા વીજળી આપવામાં આવતી નથી જેથી ખેડૂતોને રવિ સિઝનનો પાક લેવા માટે મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે ત્યારે ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે અને જિલ્લાના ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ કરવામાં આવેલ છે

હાલમાં મોરબી જિલ્લા કિશન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયા દ્વારા મુખ્યમંત્રીને જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ખેડુતોને શિયાળામાં રાતના સમયે પાણી વાળવા જવાના બદલે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તે વધુ હિતાવહ છે આ મુદે ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા રજુઆત કરવામાં આવી છે તો પણ હજુ સુધી ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમા વીજળી મળી રહી નથી જેથી કરીને સરકરએ ખેડુતોને દિવસે વિજળી આપવાની અગાઉ બાંહેધરી આપી છે. તો પછી ખેડુતોને સંપુર્ણ દિવસના સમયે જ વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News