મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલના  કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં


SHARE











મોરબીના ઝૂલતા પુલના  કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં

મોરબીની ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મૃતકોના પરિવારજનોને એક કરોડનું વળતર આપવામાં આવે અને ઈજા પામનારાઓને પાંચ લાખ સુધીનું વળતર આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજકોટના માજી સાંસદ દ્વારા ગ્રાહક અદાલતમાં તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે

રાજકોટના માજી સાંસદ રામજીભાઈ માવાણીએ રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વધુ વળતર મળે તેના માટેની કાર્યવાહી  શરૂ કરી છે કેમ કે, ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા અને સંચાલકોની ખામીના લીધે આ ઘટના બની છે અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના પ્રતિનિધીઓએ આપેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, પુલ ભંગાર અને ટુટીફુટી હાલતમા હતો, પુલની કરોડરજ્જુ નબળી હતી, જોઈન્ટના બોલ્ટ જૂના અને કાંટ ખાધેલ હતા, રિપેરીંગના નામે પુલ ઉપર માત્ર કલર લગાવવામાં આવેલ હતો આટલું જ નહીં પુલ ઉપર એક સાથે ૧૦૦ વ્યક્તિઓને ઉભા રહેવાની કેપેસીટી હતી તો પણ વધુ લોકોને મોકલવામાં આવ્યા હતા વધુમાં એવી પણ માહિતી સામે આવી છે કે, જે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો તે અનુભવી સ્ટાફ હતો જ નહીં માત્ર અને માત્ર ઉચ્ચા દ૨ની ટિકીટ વેંચી ઓરેવા કંપનીએ વધુને વધુ નફો કરવા મુલાકાતીઓને ધોળા દિવસે મોતના મુખમાં ધકેલી દિધેલ છે. આ બધાજ આધાર-પુરાવા અને સંજોગો ગ્રાહક અદાલતમા મૃતકોના વારસો તેમજ ઈજા પામનારાઓને ઉચ્ચો વળતર અપાવવા ૧૦૦૦ ટકા પુરતા છે તેવું માજી સાંસદ રામજીભાઈ માવાણીએ જણાવ્યુ છે






Latest News