મોરબીની કોર્ટમાં સરેન્ડર કરનાર જયસુખ પટેલને જ્યુડીશ્યલ ક્સ્ટડીમાં મોકલવા કોર્ટનો હુકમ
મોરબીના ઝૂલતા પુલના કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં
SHARE
મોરબીના ઝૂલતા પુલના કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં
મોરબીની ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મૃતકોના પરિવારજનોને એક કરોડનું વળતર આપવામાં આવે અને ઈજા પામનારાઓને પાંચ લાખ સુધીનું વળતર આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજકોટના માજી સાંસદ દ્વારા ગ્રાહક અદાલતમાં તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે
રાજકોટના માજી સાંસદ રામજીભાઈ માવાણીએ રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વધુ વળતર મળે તેના માટેની કાર્યવાહી શરૂ કરી છે કેમ કે, ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા અને સંચાલકોની ખામીના લીધે આ ઘટના બની છે અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના પ્રતિનિધીઓએ આપેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, પુલ ભંગાર અને ટુટીફુટી હાલતમા હતો, પુલની કરોડરજ્જુ નબળી હતી, જોઈન્ટના બોલ્ટ જૂના અને કાંટ ખાધેલ હતા, રિપેરીંગના નામે પુલ ઉપર માત્ર કલર લગાવવામાં આવેલ હતો આટલું જ નહીં પુલ ઉપર એક સાથે ૧૦૦ વ્યક્તિઓને ઉભા રહેવાની કેપેસીટી હતી તો પણ વધુ લોકોને મોકલવામાં આવ્યા હતા વધુમાં એવી પણ માહિતી સામે આવી છે કે, જે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો તે અનુભવી સ્ટાફ હતો જ નહીં માત્ર અને માત્ર ઉચ્ચા દ૨ની ટિકીટ વેંચી ઓરેવા કંપનીએ વધુને વધુ નફો કરવા મુલાકાતીઓને ધોળા દિવસે મોતના મુખમાં ધકેલી દિધેલ છે. આ બધાજ આધાર-પુરાવા અને સંજોગો ગ્રાહક અદાલતમા મૃતકોના વારસો તેમજ ઈજા પામનારાઓને ઉચ્ચો વળતર અપાવવા ૧૦૦૦ ટકા પુરતા છે તેવું માજી સાંસદ રામજીભાઈ માવાણીએ જણાવ્યુ છે