મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલના  કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં


SHARE













મોરબીના ઝૂલતા પુલના  કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં

મોરબીની ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મૃતકોના પરિવારજનોને એક કરોડનું વળતર આપવામાં આવે અને ઈજા પામનારાઓને પાંચ લાખ સુધીનું વળતર આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજકોટના માજી સાંસદ દ્વારા ગ્રાહક અદાલતમાં તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે

રાજકોટના માજી સાંસદ રામજીભાઈ માવાણીએ રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વધુ વળતર મળે તેના માટેની કાર્યવાહી  શરૂ કરી છે કેમ કે, ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા અને સંચાલકોની ખામીના લીધે આ ઘટના બની છે અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના પ્રતિનિધીઓએ આપેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, પુલ ભંગાર અને ટુટીફુટી હાલતમા હતો, પુલની કરોડરજ્જુ નબળી હતી, જોઈન્ટના બોલ્ટ જૂના અને કાંટ ખાધેલ હતા, રિપેરીંગના નામે પુલ ઉપર માત્ર કલર લગાવવામાં આવેલ હતો આટલું જ નહીં પુલ ઉપર એક સાથે ૧૦૦ વ્યક્તિઓને ઉભા રહેવાની કેપેસીટી હતી તો પણ વધુ લોકોને મોકલવામાં આવ્યા હતા વધુમાં એવી પણ માહિતી સામે આવી છે કે, જે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો તે અનુભવી સ્ટાફ હતો જ નહીં માત્ર અને માત્ર ઉચ્ચા દ૨ની ટિકીટ વેંચી ઓરેવા કંપનીએ વધુને વધુ નફો કરવા મુલાકાતીઓને ધોળા દિવસે મોતના મુખમાં ધકેલી દિધેલ છે. આ બધાજ આધાર-પુરાવા અને સંજોગો ગ્રાહક અદાલતમા મૃતકોના વારસો તેમજ ઈજા પામનારાઓને ઉચ્ચો વળતર અપાવવા ૧૦૦૦ ટકા પુરતા છે તેવું માજી સાંસદ રામજીભાઈ માવાણીએ જણાવ્યુ છે




Latest News