મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો.નું જયસુખભાઈ પટેલને સમર્થનમાં


SHARE













મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો.નું જયસુખભાઈ પટેલને સમર્થનમાં

મોરબીમાં ઝૂલતા પૂલ કેસ જયસુખભાઇ પટેલ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે જુદાજુદા સંગઠનો તેનું સમર્થન કરી રહ્યા છે ત્યારે મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જયસુખભાઈ પટેલ અને તેમના પિતાએ કરેલા સમાજ ઉપયોગી કાર્યો તેમજ સમાજમાં માટે કરેલા સારા કાર્યોને જુદીજુદી સંસથાઓએ યાદ કરેલ છે

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બની હતી તે દુ:ખદાયક અને કમનસીબ ઘટના હતી. આ ઘટનામા અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદ ભાડજા, હરેશ બોપલીયા અને કિરીટભાઈ પટેલે ભારોભાર દુખની લાગણી વ્યક્ત કરેલ છે અને તમામને શ્રધ્ધાંજલી પાઠવી છે અને જે પત્ર લખ્યો છે તેમાં જણાવ્યુ છે કે, જયસુખભાઈ પટેલના પિતા ઓધવજીભાઇ પટેલ તેમજ જયસુખભાઈ હંમેશા તમામ જ્ઞાતિ, જાતી અને તમામ વર્ગના લોકોને સહકાર આપતા રહ્યા છે. આટલું જ નહીં કન્યા કેળવણીના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતીની દીકરીઓને શિક્ષણ, દીકરીઓને ઓરેવામાં રોજગાર આપવાનુ કામ કર્યુ છે. તેમજ ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જળક્રાંતિ માટે ગામો ગામ ખેત તલાવડા, ચેકડેમ અને વોટરશેડ કરેલ છે તેમજ સમુહલગ્ન, કન્યા કેળવણી, રોજગાર, સ્કોલરશીપ જેવા અનેક કાર્યો કર્યા છે અને દાનની સરવાણી વહાવીને સેવામાં અગ્રેસર રહ્યા છે. જેથી મોરબી સીરામીક એસો.ના પ્રમુખો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, ઉપપ્રમુખ વિશાલભાઈ મારવાણિયા અને સુનિલ પટેલ તેમજ મોરબી સીરામીક ટ્રેડર્સ એસો.ના પ્રમુખ કે.કે. પટેલ દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે






Latest News