મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો.નું જયસુખભાઈ પટેલને સમર્થનમાં


SHARE











મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો.નું જયસુખભાઈ પટેલને સમર્થનમાં

મોરબીમાં ઝૂલતા પૂલ કેસ જયસુખભાઇ પટેલ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે જુદાજુદા સંગઠનો તેનું સમર્થન કરી રહ્યા છે ત્યારે મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જયસુખભાઈ પટેલ અને તેમના પિતાએ કરેલા સમાજ ઉપયોગી કાર્યો તેમજ સમાજમાં માટે કરેલા સારા કાર્યોને જુદીજુદી સંસથાઓએ યાદ કરેલ છે

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બની હતી તે દુ:ખદાયક અને કમનસીબ ઘટના હતી. આ ઘટનામા અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદ ભાડજા, હરેશ બોપલીયા અને કિરીટભાઈ પટેલે ભારોભાર દુખની લાગણી વ્યક્ત કરેલ છે અને તમામને શ્રધ્ધાંજલી પાઠવી છે અને જે પત્ર લખ્યો છે તેમાં જણાવ્યુ છે કે, જયસુખભાઈ પટેલના પિતા ઓધવજીભાઇ પટેલ તેમજ જયસુખભાઈ હંમેશા તમામ જ્ઞાતિ, જાતી અને તમામ વર્ગના લોકોને સહકાર આપતા રહ્યા છે. આટલું જ નહીં કન્યા કેળવણીના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતીની દીકરીઓને શિક્ષણ, દીકરીઓને ઓરેવામાં રોજગાર આપવાનુ કામ કર્યુ છે. તેમજ ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જળક્રાંતિ માટે ગામો ગામ ખેત તલાવડા, ચેકડેમ અને વોટરશેડ કરેલ છે તેમજ સમુહલગ્ન, કન્યા કેળવણી, રોજગાર, સ્કોલરશીપ જેવા અનેક કાર્યો કર્યા છે અને દાનની સરવાણી વહાવીને સેવામાં અગ્રેસર રહ્યા છે. જેથી મોરબી સીરામીક એસો.ના પ્રમુખો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, ઉપપ્રમુખ વિશાલભાઈ મારવાણિયા અને સુનિલ પટેલ તેમજ મોરબી સીરામીક ટ્રેડર્સ એસો.ના પ્રમુખ કે.કે. પટેલ દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે






Latest News