મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૪૧૦ દર્દીઓએ લાભ લીધો
મોરબી જિલ્લા ભાજપની હળવદ ખાતે કારોબારી બેઠક યોજાઇ
SHARE
મોરબી જિલ્લા ભાજપની હળવદ ખાતે કારોબારી બેઠક યોજાઇ
મોરબી જિલ્લા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલ લોકો તેમજ તાજેતરમાં મૃત્યુ પામેલ પક્ષના કાર્યકર્તાઓને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, ભાજપ ઉપાધ્યક્ષ અને વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, મોરબી જિલ્લા ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઇ મેતા, પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બીપીનભાઈ દવે, પ્રદીપભાઈ વાળા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી અને બાબુભાઈ હુંબલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શીહોરા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિત હાજર રહ્યા હતા અને મોરબી જીલ્લામાં વિધાનસભાની તમામ બેઠકો ઉપર ભગવો લહેરાવવા બદલ તમામ કાર્યકરોને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ શહેર ભાજપના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.









