મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે ઝેરી દવા પીને મહિલાએ જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેરના માટેલ ગામે ઝેરી દવા પીને મહિલાએ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી મહિલાએ તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના ડેડ બોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જાગૃતિબેન અશ્વિનભાઇ સરાવાડીયા (૩૮) નામની મહિલાએ તેની ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના ડેડબોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

આપઘાતનો પ્રયાસ
મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામેના ભાગમાં આવેલ યદુનંદન પાર્ક લક્ષ્મી સોસાયટીમાં રહેતા કુશ ધર્મેન્દ્રભાઈ હડિયાળ (૨૫) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આપઘાતના પ્રયાસના આ બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એસપી રોડ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટીમાં રહેતા કિશન મુળુભાઈ ડાંગર (૩૦) નામના યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News