મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર ફાયરીંગ બટની પાસે ૧૬ ફેબ્રુ.થી ૧૫ એપ્રિલ સુધી પ્રવેશબંધી


SHARE











વાંકાનેર ફાયરીંગ બટની પાસે ૧૬ ફેબ્રુ.થી ૧૫ એપ્રિલ સુધી પ્રવેશબંધી

રાજકોટ શહેર પોલીસ દળના આર્મ્ડ/અનઆર્મ્ડ પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવા માટે તા.૧૬/૦૨/૨૦૨3 થી તા.૧૫/૦૪/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ રેન્જ ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૪/૨૦૨3 સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

પેન્શનર સમાજ જોગ
ગત તા.૦૮-૦૧-૨૦૨૩ રવિવારનાં રોજ મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યો માટે સામાન્ય સભા મળી હતી. તેમાં હાજર રહ્યા હોય અને રૂ.૨૦૦/- રજિસ્ટ્રેશન ફી જમા કરાવી હોય તેવાં આજીવન સભ્યો માટે ભેટ વિટરણ કરવાની થાય છે. તેવા આજીવન સભાસદોએ રજિસ્ટ્રેશન ફી ની પહોંચ લઇ ભેટ તા.૦૬-૦૨-૨૦૨૩ થી તા.૨૭-૦૨-૨૦૨૩ સુધીમાં સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ (સોમવાર થી શુક્રવાર) સુધીમાં કચેરીએથી લઇ જવા વીનંતી છે. ત્યારબાદ કોઇપણને ભેટ વિતરણ કરવામાં આવશે નહીં કે કોઇ દાવો કરી શકશે નહીં જેની નોંધ લેવા મોરબી જિલ્લા  પેન્શનર સમાજ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.






Latest News