મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ફાયરીંગ બટની પાસે ૧૬ ફેબ્રુ.થી ૧૫ એપ્રિલ સુધી પ્રવેશબંધી


SHARE













વાંકાનેર ફાયરીંગ બટની પાસે ૧૬ ફેબ્રુ.થી ૧૫ એપ્રિલ સુધી પ્રવેશબંધી

રાજકોટ શહેર પોલીસ દળના આર્મ્ડ/અનઆર્મ્ડ પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવા માટે તા.૧૬/૦૨/૨૦૨3 થી તા.૧૫/૦૪/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ રેન્જ ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૪/૨૦૨3 સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

પેન્શનર સમાજ જોગ
ગત તા.૦૮-૦૧-૨૦૨૩ રવિવારનાં રોજ મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યો માટે સામાન્ય સભા મળી હતી. તેમાં હાજર રહ્યા હોય અને રૂ.૨૦૦/- રજિસ્ટ્રેશન ફી જમા કરાવી હોય તેવાં આજીવન સભ્યો માટે ભેટ વિટરણ કરવાની થાય છે. તેવા આજીવન સભાસદોએ રજિસ્ટ્રેશન ફી ની પહોંચ લઇ ભેટ તા.૦૬-૦૨-૨૦૨૩ થી તા.૨૭-૦૨-૨૦૨૩ સુધીમાં સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ (સોમવાર થી શુક્રવાર) સુધીમાં કચેરીએથી લઇ જવા વીનંતી છે. ત્યારબાદ કોઇપણને ભેટ વિતરણ કરવામાં આવશે નહીં કે કોઇ દાવો કરી શકશે નહીં જેની નોંધ લેવા મોરબી જિલ્લા  પેન્શનર સમાજ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.






Latest News