મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર ફાયરીંગ બટની પાસે ૧૬ ફેબ્રુ.થી ૧૫ એપ્રિલ સુધી પ્રવેશબંધી


SHARE







વાંકાનેર ફાયરીંગ બટની પાસે ૧૬ ફેબ્રુ.થી ૧૫ એપ્રિલ સુધી પ્રવેશબંધી

રાજકોટ શહેર પોલીસ દળના આર્મ્ડ/અનઆર્મ્ડ પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવા માટે તા.૧૬/૦૨/૨૦૨3 થી તા.૧૫/૦૪/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ રેન્જ ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૪/૨૦૨3 સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

પેન્શનર સમાજ જોગ
ગત તા.૦૮-૦૧-૨૦૨૩ રવિવારનાં રોજ મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યો માટે સામાન્ય સભા મળી હતી. તેમાં હાજર રહ્યા હોય અને રૂ.૨૦૦/- રજિસ્ટ્રેશન ફી જમા કરાવી હોય તેવાં આજીવન સભ્યો માટે ભેટ વિટરણ કરવાની થાય છે. તેવા આજીવન સભાસદોએ રજિસ્ટ્રેશન ફી ની પહોંચ લઇ ભેટ તા.૦૬-૦૨-૨૦૨૩ થી તા.૨૭-૦૨-૨૦૨૩ સુધીમાં સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ (સોમવાર થી શુક્રવાર) સુધીમાં કચેરીએથી લઇ જવા વીનંતી છે. ત્યારબાદ કોઇપણને ભેટ વિતરણ કરવામાં આવશે નહીં કે કોઇ દાવો કરી શકશે નહીં જેની નોંધ લેવા મોરબી જિલ્લા  પેન્શનર સમાજ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.






Latest News