હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું


SHARE







અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનની બાજુમાં ખૂણા ઉપર આવેલ વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મકાન માલિકને કોઈ નોટીસ આપીને નક્કર કામગીરી કરવામાં આવેલ નથી અને મકાન માલિક દ્વારા પણ તેના જર્જરીત મકાનને રીપેર કરવામાં આવતું નથી દરમિયાન આજે વહેલી સવારના સમયે આ રસ્તા ઉપર ટ્રાફિક ઓછો હતો ત્યારે મકાનના ઉપરના માળેથી છજાના ભાગ તૂટીને નીચે રસ્તા ઉપર પડ્યો હતો જોકે દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે જેથી આ જર્જરિત મકાનના જોખમી ભાગને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી છે તેની સાથોસાથ આ સિવાયના માર્ગો ઉપર પણ જેટલા જર્જરીત મકાન કે મિલકતો હોય તેને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લોકોની લાગણી છે જોકે નગરપાલિકા દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે તે સો મણનો સવાલ છે.






Latest News