મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું


SHARE











અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનની બાજુમાં ખૂણા ઉપર આવેલ વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મકાન માલિકને કોઈ નોટીસ આપીને નક્કર કામગીરી કરવામાં આવેલ નથી અને મકાન માલિક દ્વારા પણ તેના જર્જરીત મકાનને રીપેર કરવામાં આવતું નથી દરમિયાન આજે વહેલી સવારના સમયે આ રસ્તા ઉપર ટ્રાફિક ઓછો હતો ત્યારે મકાનના ઉપરના માળેથી છજાના ભાગ તૂટીને નીચે રસ્તા ઉપર પડ્યો હતો જોકે દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે જેથી આ જર્જરિત મકાનના જોખમી ભાગને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી છે તેની સાથોસાથ આ સિવાયના માર્ગો ઉપર પણ જેટલા જર્જરીત મકાન કે મિલકતો હોય તેને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લોકોની લાગણી છે જોકે નગરપાલિકા દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે તે સો મણનો સવાલ છે.






Latest News