મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું


SHARE















અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનની બાજુમાં ખૂણા ઉપર આવેલ વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મકાન માલિકને કોઈ નોટીસ આપીને નક્કર કામગીરી કરવામાં આવેલ નથી અને મકાન માલિક દ્વારા પણ તેના જર્જરીત મકાનને રીપેર કરવામાં આવતું નથી દરમિયાન આજે વહેલી સવારના સમયે આ રસ્તા ઉપર ટ્રાફિક ઓછો હતો ત્યારે મકાનના ઉપરના માળેથી છજાના ભાગ તૂટીને નીચે રસ્તા ઉપર પડ્યો હતો જોકે દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે જેથી આ જર્જરિત મકાનના જોખમી ભાગને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી છે તેની સાથોસાથ આ સિવાયના માર્ગો ઉપર પણ જેટલા જર્જરીત મકાન કે મિલકતો હોય તેને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લોકોની લાગણી છે જોકે નગરપાલિકા દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે તે સો મણનો સવાલ છે.






Latest News