મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું


SHARE











અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનની બાજુમાં ખૂણા ઉપર આવેલ વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મકાન માલિકને કોઈ નોટીસ આપીને નક્કર કામગીરી કરવામાં આવેલ નથી અને મકાન માલિક દ્વારા પણ તેના જર્જરીત મકાનને રીપેર કરવામાં આવતું નથી દરમિયાન આજે વહેલી સવારના સમયે આ રસ્તા ઉપર ટ્રાફિક ઓછો હતો ત્યારે મકાનના ઉપરના માળેથી છજાના ભાગ તૂટીને નીચે રસ્તા ઉપર પડ્યો હતો જોકે દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે જેથી આ જર્જરિત મકાનના જોખમી ભાગને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી છે તેની સાથોસાથ આ સિવાયના માર્ગો ઉપર પણ જેટલા જર્જરીત મકાન કે મિલકતો હોય તેને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લોકોની લાગણી છે જોકે નગરપાલિકા દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે તે સો મણનો સવાલ છે.






Latest News