મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની લાશ મચ્છુ-૨ ડેમમાંથી મળી


SHARE















 

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની લાશ મચ્છુ-૨ ડેમમાંથી મળી

મોરબી નજીકના લાલપર ગામ પાસે કારખાનામાં ટ્રક કન્ટેનર લઈને ટાઇલ્સ ભરવા માટે આવેલ ડ્રાઇવર કોઈ કારણોસર અકસ્માતે નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેની ડેડ બોડી કેનાલમાં તણાઈને મચ્છુ-૨ ડેમ સુધી પહોંચી જતા મચ્છુ-૩ ડેમમાંથી તેની ડેડબોડી મળી આવી હતી ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતક યુવાનના ભાઈએ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના બરેલી જિલ્લાના રીંછા ગામ ઈસ્માઈલનગર વોર્ડ નંબર-૯ ના રહેવાસી મુજમ્મીલ અકરમભાઇ સીદ્દીકી જાતે મુસ્લીમ (૨૫) નામનો યુવાન ટ્રક કન્ટેનર લઈને મોરબી આવ્યો હતો અને લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાંથી તેના ટ્રક કન્ટેનરની અંદર ટાઇલ્સ ભરવાની હતી દરમિયાન તે કોઈ કારણોસર કારખાના પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કેનાલમાં વહેતા પાણી સાથે પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને તેની ડેડ બોડી તણાઈને મોરબી નજીકના જોધપર નદી ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ સુધી પહોંચી ગઇ હતી જેથી યુવાનની લાશને ડેમમાંથી કાઢીને તેનો ભાઈ મોદસ્સિર અકરમભાઇ સીદ્દીકી જાતે મુસ્લીમ (૨૮) રહે. રીંછા ગામ બરેલી વાળો લઈને મોરબી સિવિલ હોસ્પિટલે આવ્યો હતો અને તેને જ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતક યુવાનના ભાઈ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, મુન્દ્રાથી ખાલી કન્ટેનર લઈને તે મોરબીના લાલપર ગામ પાસે કેનાલના કાંઠે આવેલ સિરામિક કારખાનામાં કન્ટેનરમાં ટાઇલ્સનો જથ્થો ભરવા માટે આવ્યો હતો દરમિયાન આ બનાવ બન્યો છે જોકે તેનો ભાઈ કઈ રીતે કેનાલમાં પડ્યો અને અકસ્માતનો બનાવ બન્યો છે તેની કોઈ માહિતી તેની પાસે નથી.






Latest News