મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર નજીક કારખાનેદાર-ખેડૂત વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE















વાંકાનેરના ધમલપર નજીક કારખાનેદાર-ખેડૂત વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ


વાંકાનેર નજીક આવેલ જુના ધમલપર ગામે કારખાનાનું પાણી વાડીમાં આવતું હોવાથી વાડીમાં પાણી આવવા ન દેવાનું કહેવા ગયેલ ખેડૂતને સળિયા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને કારખાનેદારને ખેડૂતે પાઇપ વડે માથામાં ઇજા કરી હતી જેથી આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલા ધમલપર ગામે રહેતા મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવાર જાતે મોમીન (૩૨) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કપિલભાઈ ગગજીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૩૮) રહે. વીસીપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે, તેની વાડીમાં આરોપીના કારખાનામાંથી પાણી આવતું હોય પાણી આવવા દેવા બાબતે તે કપિલભાઈને કહેવા માટે ગયા હતા ત્યારે કપિલભાઈ ઉછેરાઈ ગયા હતા અને ગાળો આપીને લોખંડના સળિયા વડે માથામાં બે ત્રણ ઘા માર્યા હતા અને પાઇપ વડે જમણા હાથમાં માર માર્યો હતો જેથી ઈજા થઈ હોય ઇજા પામેલ યુવાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે કારખાનેદારની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

તો સામા પક્ષેથી કૌશિકભાઇ ઉર્ફે કપિલભાઈ ગગજીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૩૮)એ મોહયુદ્દીનભાઈ અબ્દુલભાઈ કડીવાર જાતે મોમીન (૩૨) ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના કારખાનાની મોટર ખરાબ થઈ ગઈ હતી જેથી પાણી આરોપીના ખેતર નજીક જતું હતું માટે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માથામાં અને વાસામાં માર મારીને ઈજા કરી હતી જેથી કૌશિકભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોહયુદ્દીનભાઈ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીના આ બનાવમાં સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News