મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે પ્રાથમિક શાળામાં શ્રમયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE











ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે પ્રાથમિક શાળામાં શ્રમયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું

 ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગામના સ્નેહ અને સહકાર સાથે શ્રમયોગી પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રમયોગી પરિવારના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને નિરક્ષરતા દૂર કરી સાક્ષર સમાજ બને એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોમાં રહેલ ક્ષમતાઓ તેના માતા પિતા રૂબરૂ જુએ એ હેતુથી શાળામાં બાળકોને તેમની સમક્ષ પોતપોતાની ક્ષમતાઓ અને આવડતનું પ્રદર્શન કરેલ હતું ત્યારે બાળકોમાં રહેલા કૌશલ્યો જોઈને તેમના માતાપિતા પણ દંગ રહી ગયા હતાં આ ઉપરાંત તેઓ પોતાના ધર્મમાં સાચી શ્રદ્ધા ટકે અને કોઈ અંધશ્રદ્ધાનો વ્યાપ પરિવારમાં ન થાય તે બાબતે પણ વિસ્તૃત આધ્યાત્મિક ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ આ લોકો વ્યસનમુક્ત બને તેના માટેની પણ માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત રાષ્ટ્ર ધર્મ પ્રત્યે દરેક લોકો જાગૃત બને અને પોતાના વતનમાં જાય ત્યાં પણ વિસ્તૃત જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ તકે શાળાના શિક્ષક દેવેન્દ્રભાઈ દ્વારા પણ રહેણીકરણીખોરાકમાં સાત્વિકતા અને વાણીમાં પવિત્રતા વગેરે આવે તે અંગે વાલીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રમયોગી પરિવારના તમામ લોકોની સાથે ભોજન કર્યું હતું ત્યાર બાદ ટંકારાના દયાલમુની દ્વારા દરેક પરિવાર માટે એક એક બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવેન્દ્રભાઈ, નવનીતભાઈ , ચાંદનીબેન, સરપંચ વલ્લભભાઈ, રામજીભાઈ, નિલેશભાઈ, મનસુખભાઇએ જહેમત ઉઠાવી હતી






Latest News