લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે પ્રાથમિક શાળામાં શ્રમયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE





ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે પ્રાથમિક શાળામાં શ્રમયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું

 ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગામના સ્નેહ અને સહકાર સાથે શ્રમયોગી પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રમયોગી પરિવારના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને નિરક્ષરતા દૂર કરી સાક્ષર સમાજ બને એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોમાં રહેલ ક્ષમતાઓ તેના માતા પિતા રૂબરૂ જુએ એ હેતુથી શાળામાં બાળકોને તેમની સમક્ષ પોતપોતાની ક્ષમતાઓ અને આવડતનું પ્રદર્શન કરેલ હતું ત્યારે બાળકોમાં રહેલા કૌશલ્યો જોઈને તેમના માતાપિતા પણ દંગ રહી ગયા હતાં આ ઉપરાંત તેઓ પોતાના ધર્મમાં સાચી શ્રદ્ધા ટકે અને કોઈ અંધશ્રદ્ધાનો વ્યાપ પરિવારમાં ન થાય તે બાબતે પણ વિસ્તૃત આધ્યાત્મિક ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ આ લોકો વ્યસનમુક્ત બને તેના માટેની પણ માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત રાષ્ટ્ર ધર્મ પ્રત્યે દરેક લોકો જાગૃત બને અને પોતાના વતનમાં જાય ત્યાં પણ વિસ્તૃત જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ તકે શાળાના શિક્ષક દેવેન્દ્રભાઈ દ્વારા પણ રહેણીકરણીખોરાકમાં સાત્વિકતા અને વાણીમાં પવિત્રતા વગેરે આવે તે અંગે વાલીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રમયોગી પરિવારના તમામ લોકોની સાથે ભોજન કર્યું હતું ત્યાર બાદ ટંકારાના દયાલમુની દ્વારા દરેક પરિવાર માટે એક એક બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવેન્દ્રભાઈ, નવનીતભાઈ , ચાંદનીબેન, સરપંચ વલ્લભભાઈ, રામજીભાઈ, નિલેશભાઈ, મનસુખભાઇએ જહેમત ઉઠાવી હતી




Latest News