મોરબી જિલ્લાના મહાસંઘ દ્વારા નવા કાર્યકર્તાઓના આવકાર સાથે કારોબારી બેઠક સંપન
મોરબી મહાસંઘના મહિલા સંવર્ગ દ્વારા મહિલા સંમેલન સંપન્ન
SHARE
મોરબી મહાસંઘના મહિલા સંવર્ગ દ્વારા મહિલા સંમેલન સંપન્ન
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન છે,સંગઠન દ્વારા અનેકવિધ સામાજિક કાર્યો તેમજ શિક્ષક હિતના કામો થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે, આપણી સંસ્કૃતિ યત્ર પૂજયતે નારી,તત્ર રમન્તે દેવતા: માં માનનારી સંસ્કૃતિ છે તેમજ પ્રવર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં માતૃશક્તિએ પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે પોતાનું સ્થાન જમાવ્યું છે,ત્યારે સંગઠનમાં માતૃશક્તિની સહયોગીતા વધે એવા શુભાષય સાથે મોરબી જિલ્લા કક્ષાના માતૃશક્તિ સંમેલનનું આયોજન શિશુ મંદિર ખાતે કરેલ હતું. જેમાં શિશુમંદિરના પ્રાધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા, મોરબી સુરેન્દ્રનગર વિભાગના મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરા, મોરબી જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ વીણાબેન દેસાઈ તેમજ મોરબી જિલ્લા મહિલા મંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા મહિલા મંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે









