મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘના મહિલા સંવર્ગ દ્વારા મહિલા સંમેલન સંપન્ન


SHARE







મોરબી મહાસંઘના મહિલા સંવર્ગ દ્વારા મહિલા સંમેલન સંપન્ન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન છે,સંગઠન દ્વારા અનેકવિધ સામાજિક કાર્યો તેમજ શિક્ષક હિતના કામો થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે, આપણી સંસ્કૃતિ યત્ર પૂજયતે નારી,તત્ર રમન્તે દેવતા: માં માનનારી સંસ્કૃતિ છે તેમજ પ્રવર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં માતૃશક્તિએ પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે પોતાનું સ્થાન જમાવ્યું છે,ત્યારે સંગઠનમાં માતૃશક્તિની સહયોગીતા વધે એવા શુભાષય સાથે મોરબી જિલ્લા કક્ષાના માતૃશક્તિ સંમેલનનું આયોજન શિશુ મંદિર ખાતે કરેલ હતું. જેમાં શિશુમંદિરના પ્રાધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા, મોરબી સુરેન્દ્રનગર વિભાગના મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરા, મોરબી જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ વીણાબેન દેસાઈ તેમજ મોરબી જિલ્લા મહિલા મંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા મહિલા મંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે






Latest News