મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક ચાલક યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ કુકસીતલાવડી ગામનો રહેવાસી અને હાલમાં રાજકોટ તાલુકામાં ભુપતગઢ ગામે જયરાજભાઈ નરશીભાઈ રાઠોડની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો સુરેશભાઈ ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી ભીલ (૨૮) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી તેનું બાઈક નં જીજે ૩ સીજી ૪૧૮૪ લઈને નીકળ્યો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈક ચાલક સુરેશભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર થયું હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનની માતા નૂરીબેન ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી (૫૦) રહે. હાલ મકનસર સરતાનપર રોડ વેલજીબાપાની ગૌશાળામાં મોરબી વાળીની ફરિયાદ લઈ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો નવઘણભાઈ મનસુખભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (૨૪) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અલ્ટો કાર નં. જીજે ૩ બીએ ૬૮૩૪ ના ચાલકે તેના એક્ટિવા નં. જીજે ૩૬ એબી ૩૨૩૨ ને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં નવઘણભાઈને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને એકટીવામાં નુકસાની થયેલ છે જેથી કરીને હાલમાં તેણે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News