મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE















મોરબી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો

હળવદ પોલીસે તા.૨-૫-૧૮ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ ઉપરથી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લઈ જઈ આ કામે ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ભોગ બનનાર સાથે અવાર નવાર અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી બાળાત્કાર કરેલ હોવાનો ગુનો કરેલ છે તે બાબતનો ગુનો રજીસ્ટર કરીને આરોપી શૈલેશ ઉર્ફે પીન્ટ છનાભાઈ પારગીની ધરપકડ કરી આરોપી વીરધ્ધ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), (એચ- આઇ- એન) તથા પોકસો અધી. ર૦૧ર ની કલમ- ૩(૨) ૪,૭,૮ મુજબ વીગેરે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલી.આ અંગેનો કેશ અત્રેના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલા હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અઘીકારી વીગેરેની જબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે કરીયાદથી વીરઘ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે અને આ કામના ભોગ બનનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદી પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામના આરોપીએ આ કામના ભોગબનનારને ફરીયાદીના કોયદેસરના વાલીપણામાથી લઈ જઈ આ કામેની ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ભોગ બનનાર સાથે અવાર નવાર અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી બાળાત્કાર કરેલ હોવાનું ફરીયાદી પક્ષે સાબીત કરેલ નથી તેમજ ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વીવીધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયાં સુધી આરોપી વુરધ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય.ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, એડવોકેટ જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવિ ચાવડા રોકાયેલ હતા






Latest News