મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર
Breaking news
Morbi Today

મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધા આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત


SHARE















મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધા આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત

મોરબીના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશીએ અહીંના ધારાસભ્ય તેમજ સાંસદને લેખિતમાં રજૂઆત કરીને મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે મોરબી અને અમદાવાદ વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય અને તેથી કરીને જો મોરબીથી સીધી અમદાવાદની ટ્રેન સુવિધા મળે તો રેલ્વે વિભાગને પણ આર્થિક ફાયદો થાય તેમ છે તેમ તેઓએ યાદીમાં જણાવેલ છે.

મોરબી આજે જીલ્લો બની ગયાને ધણો સમય થયેલ છે અને મોરબી ઉદ્યોગનગરી છે.અહીંયાથી રેલ્વે મારફતે ટાઈલ્સ તથા ઘડીયાલ ઉદ્યોગ છે તેનો માલ અન્ય સ્થળે જતો હોય છે જેમા રેલ્વે માલગાડી મારફત ધણી જ આવક કરે છે પરંતુ પ્રજાને અમદાવાદ કે મુંબઈ જવા માટે કોઈ સીધી રેલ્વે સુવિધા નથી જેથી અહીંની પ્રજાને ધણી જ મુશ્કેલી ભોગવવી પડે છે અને વાયા વાંકાનેર થઈને જવુ પડે છે.જેથી સમય અને પૈસાનો બગાડ થવાની સાથે લોકોએ પારવાર મુશ્કેલી ભોગવવી પડે છે.વર્ષોથી મોરબીના લોકોની માંગણી છે છતા આજદીન સુધી આ બાબતનો નિકાલ થયેલ નથી જે ધણી જ દુખદ બીના છે. આજે ગુજરાતમાં તથા દિલ્હીમાં ભાજપની સરકારની છે છતા મોરબી જીલ્લાની પ્રજા હેરાન પરેશાન થાય છે.પ્રજાએ ભાજપને ઘણી જ બહુમતી આપી છે જેથી પ્રજાને પણ આશા હોય કે સીધી ટ્રેન સુવીધા મળે આ બાબતે અવારનવાર રજુઆતો પણ થયેલ છે પરંતુ તેનુ કોઈ પરીણામ આવેલ નથી જે ધણી જ દુખદ બીના છે.વધુમા જણાવવાનુ કે જો મોરબીને રેલ્વે સુવીધા આપવામાં કોઈપણ ખર્ચ નથી કારણ કે ભુજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન હાલમાં વાયા હળવદ થઈને ચાલે છે જેમાંથી ત્રણ ટ્રેન વાયા મોરબી કરવામાં આવે તો કોઈપણ જાતના રેલ્વેને ખર્ચ વગર મોરબીને સુવીધા મળે તેમ છે.મોરબી કરોડો રૂપિયા રેલ્વે માલગાડી મારફત કમાણી કરી આપે છે પરંતુ પ્રજાની સગવડમાં વધારો થાય તે જરૂરી છે જે આ રીતે કરવામાં આવે તો મોરબી જીલ્લાના જનતાને રેલ્વે સગડતામાં વધારો થઈ શકે તેમ છે તેથી આ બાબતે અહીંના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને અહીંના જગૃત નાગરીક પી.પી.જોશીએ લેખિતમાં રજૂઆત કરીને મોરબી-અમદાવાદ તેમજ મોરબી-મુંબઈ માટે ટ્રેનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News