મોરબી પાલિકાને બચાવવા જનરલ બોર્ડમાં રજૂ થયેલ બંને જવાબમાં ઓરિયો ઘોરીયો સસ્પેન્ડેડ ચીફ ઓફિસર ઉપર !
મોરબી : મહાશિવરાત્રીના મેળા નિમિત્તે રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
SHARE
મોરબી : મહાશિવરાત્રીના મેળા નિમિત્તે રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે.આ મહાશિવરાત્રી મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલ્વે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે જેની વિગતોમાં રાજકોટ-જૂનાગઢ-રાજકોટ મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ-જૂનાગઢ વચ્ચે “મેળા સ્પેશિયલ ટ્રેન” દોડશે જે તા.૧૫-૨ થી તા.૨૧-૨ સુધી દોડશે. (તા.૧૬-૨ અને તા.૨૦-૨ સિવાય) દોડશે. ઉપરોક્ત દિવસોમાં આ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે ૧૦:૪૦ કલાકે ઉપડી જૂનાગઢ સ્ટેશને બપોરે ૧૨.૪૫ કલાકે પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી ૧૫:૩૦ કલાકે ઉપડશે અને ૧૭:૫૫ એ રાજકોટ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઉભી રહેશે.એકસ્ટ્રા કોચ ટ્રેન નં.૧૯૧૧૯/૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં. ૦૯૫૧૩/૦૯૫૧૪ વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. ૧૯૨૦૭/૧૯૨૦૮ પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં. ૦૯૫૨૨/૦૯૫૨૧ રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જર સ્પેશિયલમાં વધારાના કોચ લગાડવામાં આવશે તેમ અધીકારીએ યાદીમાં જણાવેલ છે.









