મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી : મહાશિવરાત્રીના મેળા નિમિત્તે રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે


SHARE













મોરબી : મહાશિવરાત્રીના મેળા નિમિત્તે રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
 

જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે.આ મહાશિવરાત્રી મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલ્વે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે જેની વિગતોમાં રાજકોટ-જૂનાગઢ-રાજકોટ મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ-જૂનાગઢ વચ્ચે “મેળા સ્પેશિયલ ટ્રેન” દોડશે જે તા.૧૫-૨ થી તા.૨૧-૨ સુધી દોડશે. (તા.૧૬-૨ અને તા.૨૦-૨ સિવાય) દોડશે. ઉપરોક્ત દિવસોમાં આ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે ૧૦:૪૦ કલાકે ઉપડી જૂનાગઢ સ્ટેશને બપોરે ૧૨.૪૫ કલાકે પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી ૧૫:૩૦ કલાકે ઉપડશે અને ૧૭:૫૫ એ રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઉભી રહેશે.એકસ્ટ્રા કોચ ટ્રેન નં.૧૯૧૧૯/૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં. ૦૯૫૧૩/૦૯૫૧૪ વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. ૧૯૨૦૭/૧૯૨૦૮ પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં. ૦૯૫૨૨/૦૯૫૨૧ રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જર સ્પેશિયલમાં વધારાના કોચ લગાડવામાં આવશે તેમ અધીકારીએ યાદીમાં જણાવેલ છે.






Latest News