મોરબી પાલિકામાં કુલડીમાં ગોળ ન ભાંગો, જનરલ બોર્ડના ઠરાવ જાહેર કરો: મહેશભાઇ રાજ્યગુરૂ
મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ
SHARE
મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ
આગામી દિવસોમાં હિંદુ સમાજનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આવે છે ત્યારે મોરબીના જાહેર માર્ગો ઉપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, તા ૧૮/૨ ના રોજ મહા શિવરાત્રી છે ત્યારે ભગવાન શિવની પૂજા અને આરાધના ભક્તો દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પવિત્ર દિવસે મોરબી જિલ્લામાં જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ કરવામાં આવે છે તેને બંધ રાખવામા આવે અને કતલખાના ઉપર પણ પ્રતિબંધ મૂકીની તે જાહેરનામાની કડક અમલવારી કરવામા આવે તેવી માંગ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે કમલેશભાઈ બોરિચા, કમલભાઇ દવે, પરેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા