મોરબી તાલુકા પોલીસે પાવી જેતપરના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો
ટંકારાના નેકનામ ગામે ઝેરી દાવ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE
ટંકારાના નેકનામ ગામે ઝેરી દાવ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
ટંકારાના નેકનામ ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી હતી અને તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરિણીતા અનીતાબેન ગોવિંદભાઈ પીપલાજ (૩૮) એ કોઈ કારણોસર થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારે સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે અને મૃતક પરિણીતાનો લગ્ન ગાળો ૮ વર્ષનો હોવાનું તેમજ તેને બે દીકરીઓ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે