વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કરિયાવર બાબતની માથાકૂટમાં એક જ પરિવારની ત્રણ મહિલા સારવારમાં


SHARE











મોરબીમાં કરિયાવર બાબતની માથાકૂટમાં એક જ પરિવારની ત્રણ મહિલા સારવારમાં

મોરબી તાલુકાના પીપળીયા ગામે પારિવારિક ઝઘડામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં માઁ-દીકરી અને વહુ એમ એક જ પરિવારની ત્રણ મહિલાઓને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા અને પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં કરિયાવર બાબતેની બોલાચાલી દરમિયાન આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા રફીનાબેન સલીમભાઈ ચાનીયા (ઉંમર ૫૦) અને તેમની દીકરી ફિરદોશબેન સલીમભાઈ ચાનીયા (ઉંમર ૨૬) ને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લવાયા હતા અને સામેના પક્ષેથી રફીનાબેનના વહુ રૂકૈયાબેન કાદરભાઈ ચાનીયા (ઉંમર ૨૯) ને પણ મારામારીના બનાવમાં ઇજા પહોંચી હોય તેણીને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરીએ તપાસ શરૂ કરી હતી અને તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે કરિયાવર બાબતે રૂકૈયાબેન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં બંને પક્ષેથી સામસામે મારામારી થઈ હોવાની વાત હાલ સામે આવી છે જે અંગે આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા રજનીભાઈ પરસોતમભાઈ દેત્રોજા નામના ૪૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરીએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે તે મોરબી આવ્યો હતો અને બગથળાથી પરત માણેકવાડા જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક પલ્ટી મારી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News