મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કરિયાવર બાબતની માથાકૂટમાં એક જ પરિવારની ત્રણ મહિલા સારવારમાં


SHARE











મોરબીમાં કરિયાવર બાબતની માથાકૂટમાં એક જ પરિવારની ત્રણ મહિલા સારવારમાં

મોરબી તાલુકાના પીપળીયા ગામે પારિવારિક ઝઘડામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં માઁ-દીકરી અને વહુ એમ એક જ પરિવારની ત્રણ મહિલાઓને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા અને પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં કરિયાવર બાબતેની બોલાચાલી દરમિયાન આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા રફીનાબેન સલીમભાઈ ચાનીયા (ઉંમર ૫૦) અને તેમની દીકરી ફિરદોશબેન સલીમભાઈ ચાનીયા (ઉંમર ૨૬) ને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લવાયા હતા અને સામેના પક્ષેથી રફીનાબેનના વહુ રૂકૈયાબેન કાદરભાઈ ચાનીયા (ઉંમર ૨૯) ને પણ મારામારીના બનાવમાં ઇજા પહોંચી હોય તેણીને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરીએ તપાસ શરૂ કરી હતી અને તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે કરિયાવર બાબતે રૂકૈયાબેન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં બંને પક્ષેથી સામસામે મારામારી થઈ હોવાની વાત હાલ સામે આવી છે જે અંગે આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા રજનીભાઈ પરસોતમભાઈ દેત્રોજા નામના ૪૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરીએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે તે મોરબી આવ્યો હતો અને બગથળાથી પરત માણેકવાડા જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક પલ્ટી મારી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News