મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં આજે શિવરાત્રીએ શિવભક્તોનો મેળો
SHARE
મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં આજે શિવરાત્રીએ શિવભક્તોનો મેળો
મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં આજે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવશે.
શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા આજે શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહી રહ્યું છે અને શિવ ભક્તો શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સાથે જુદાજુદા મંદિરોમાં ભંગ અને ફરાળ સહિતના પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે આજે શિવજીના દર્શન અને પૂજનનું વિષેશ મહત્વ હોય ભક્તો મહાદેવજીનું પૂજન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે આજે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, બિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા મંદિરોમાં વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના કરી રહ્યા છે તેમજ ભક્તો દ્વારા આજે ચાર પહોરની આરતી અને પૂજન કરવા માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવેલ છે.