મોરબીમાં પશુપાલન અધિકારીઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો
SHARE
મોરબીમાં પશુપાલન અધિકારીઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ, કૃષિ યુનર્વિસટી મોરબી ખાતે મદદનીશ પશુપાલન નિયામકની કચેરી, ઘેટાં ઉછેર કેન્દ્ર મોરબી દ્વારા પશુપાલન અધિકારી અને મદદનીશ પશુપાલન નિયામકઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવ્યુ હતું આ તાલીમમાં અધિકારીને ઘેટાં બકરા પાલન અંગેની આધુનિક સમજણ, ઘેટાં બકરાંની ઓલાદની જાણકારી, તેમાં થતા રોગ જીવાત નિવારણ અને રસીકરણ તેમજ ઘેટાં બકરાંમાં સંવર્ધનમાં લેવાની થતી કાળજી, આહાર અને તેનું મહત્વ અંગેની માહિતી આપવામાં આવેલ હતી અને આ તાલીમ પૂર્ણ થતાં સંયુક્ત પશુપાલન નિયામક સૌરાષ્ટ્ર રીજીયન ડો. ગોહેલના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર તાલીમનું આયોજન ડો.ઉઘરેજા દ્વારા કરવામાં આવ્યું હતું અને તાલીમાર્થી તાલીમ દરમ્યાન સંચાલન આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી અને ડી.એ. સરડવા દ્વારા કરવામાં આવ્યું હતું