મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન વર્ષ ૨૦૨૨-૨૩ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રિ વોકેશનલ એજ્યુકેશન NCERT ની ગાઈડલાઈન મુજબ મળી રહે તે હેતુથી 'બેગલેસ ડે' અંતર્ગત મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ગઇકાલે ઇતિહાસકાર, કવિ, લેખક બનવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે અવલોકન શક્તિ વિકસાવવી વગેરે બાબતે કવિ જલરૂપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પર્યાવરણ પરિવારના કવિ જલરૂપ દ્વારા દેશી રાજા રજવાડાંઓના ફોટાઓનું પ્રદર્શન શાળામાં ગોઠવવામાં આવ્યું હતું. જેથી શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલાએ કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.