માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલના ચાર્જશીટની જોવાતી રાહ: ૯ મીએ સુનાવણી


SHARE













મોરબીના ઝુલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલના ચાર્જશીટની જોવાતી રાહ: ૯ મીએ સુનાવણી

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડ્યો હતો તે દુર્ઘટના મુદ્દે નોંધાયેલ ગુનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને ગઇકાલે આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ડોક્યુમેન્ટરી એવિડન્સ માટે ચલાવવામાં આવ્યો હતો જેમાં આગામી ૯ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને છેલ્લે જયસુખભાઇ પટેલને પકડવામાં આવેલ છે તેનું ચાર્જશીટ મૂકવામાં આવે તેમાં બીજા કોઈ આરોપીના નામ સામે આવે છે કે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે

મોરબીમાં ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તુટી પડ્યો હતો અને આ જુલતા પુલની જવાબદારી મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છેલ્લે પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે બીજી બાજુ મોરબીની સેશન્સ કોર્ટમાં ગઇકાલે ડોક્યુમેન્ટરી એવિડન્સ માટે કેસ ચલાવવામાં આવ્યો હતો ત્યારે સરકારી વકીલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટરી એવિડન્સ રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આ કેસમાં ભોગ બનેલા ૨૪ પરિવારના વકીલ તરીકે રોકાયેલા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, હાલમાં આ કેસમાં ચાર્જશીટ મુકાઇ ગયું છે જો કે, જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ તેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા અને તેનું જે પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે તેમાં બીજા કોઈ આરોપીના નામ સામે આવે છે કે કેમ તે જોવાનું છે અને જે કોઈના નામ આવે તેની સામે કાયદેસરની લડત આપવા માટેની તૈયારી કરવામાં આવશે






Latest News