મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલના ચાર્જશીટની જોવાતી રાહ: ૯ મીએ સુનાવણી


SHARE













મોરબીના ઝુલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલના ચાર્જશીટની જોવાતી રાહ: ૯ મીએ સુનાવણી

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડ્યો હતો તે દુર્ઘટના મુદ્દે નોંધાયેલ ગુનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને ગઇકાલે આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ડોક્યુમેન્ટરી એવિડન્સ માટે ચલાવવામાં આવ્યો હતો જેમાં આગામી ૯ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને છેલ્લે જયસુખભાઇ પટેલને પકડવામાં આવેલ છે તેનું ચાર્જશીટ મૂકવામાં આવે તેમાં બીજા કોઈ આરોપીના નામ સામે આવે છે કે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે

મોરબીમાં ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તુટી પડ્યો હતો અને આ જુલતા પુલની જવાબદારી મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છેલ્લે પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે બીજી બાજુ મોરબીની સેશન્સ કોર્ટમાં ગઇકાલે ડોક્યુમેન્ટરી એવિડન્સ માટે કેસ ચલાવવામાં આવ્યો હતો ત્યારે સરકારી વકીલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટરી એવિડન્સ રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આ કેસમાં ભોગ બનેલા ૨૪ પરિવારના વકીલ તરીકે રોકાયેલા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, હાલમાં આ કેસમાં ચાર્જશીટ મુકાઇ ગયું છે જો કે, જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ તેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા અને તેનું જે પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે તેમાં બીજા કોઈ આરોપીના નામ સામે આવે છે કે કેમ તે જોવાનું છે અને જે કોઈના નામ આવે તેની સામે કાયદેસરની લડત આપવા માટેની તૈયારી કરવામાં આવશે






Latest News