મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ બેલા પાસે રીક્ષા પલ્ટી જતા યુવાન અને તેના બે બાળકોને ઇજા


SHARE













મોરબીના જેતપર રોડ બેલા પાસે રીક્ષા પલ્ટી જતા યુવાન અને તેના બે બાળકોને ઇજા

મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ બેલા ગામ પાસે ઓટો રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા યુવાન તથા તેના બે બાળકો એમ ત્રણને સારવારમાં ખસેડાયા હતા અને તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક ઓટો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં રફાળેશ્વર ગામના રહેવાસી કિશોરભાઈ મોતીભાઈ સોલંકી (૩૮) તેમનો પુત્ર વિરાજ કિશોરભાઈ (ઉંમર ૧) અને તેમની પુત્રી કિસુબેન કિશોરભાઈ (ઉંમર ૨) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતો રાકેશ દેવજીભાઈ સાગઠીયા નામનો ૩૫ વર્ષનો યુવાન વધુ પડતી ભાંગ પી જતા તેને સારવાર માટે શિવમ હોસ્પિટલ ખસેડાયો હતો.

બાઈક સાથે બાઈક અથડાતા બેને ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના રહેવાસી રાઠોડ ચંદ્રસિંહ જયમલસિંહ (૬૫) અને રાઠોડ અંકિતા દિલીપભાઈ (૧૬) ને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા પોલીસમાં જાણ થતા બી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ઉપરોક્ત બંને બાઈક લઈને મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ લાભનગર પાસેથી જતા હતા ત્યારે તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા ઈજાઓ થતા બંનેને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં રહેતો વિષ્ણુ બહાદુરભાઇ ગોસાઈ નામનો ૧૯ વર્ષનો યુવાન કોઈ અજાણી દવા પી ગયો હતો જેથી કરીને તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી શેરી નંબર-૩ માં રહેતા નરેન્દ્રભાઈ માધવજીભાઈ ધરોડીયા નામના ૫૪ વર્ષીય આધેડ પોતાની શેરી પાસેથી બાઈક લઈને નીકળ્યા હતા તે દરમિયાન તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા પડી જવાથી ઇજાઓ પામતા નરેન્દ્રભાઈ ધરોડીયાને સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News