માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નર્મદા-મચ્છુના પાણીનો વેડફાટ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં નર્મદા-મચ્છુના પાણીનો વેડફાટ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત

દેશના વડાપ્રધાનના જળ સંચય કાર્યક્રમની વાતો વચ્ચે મચ્છુ- ૨ સિંચાઈ તેમજ નર્મદા સિંચાઈ યોજનાની કેનાલોમાં થતો પાણીનો બગાડ અટકાવવામાં આવતો નથી જેથી કરીને હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી લેખિતમાં રજૂઆત કરેલ છે

ચાલુ રવિ સીઝનમાં નર્મદા યોજનાની કેનાલોમાં તેમજ મચ્છુ-૨ યોજનાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન દ્વારા  હમણાં જળસંચય તેમજ જળ વપરાશ બાબતે કાર્યકર્મો આપવામા આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ જળ અભિયાન – ૨૦૨૩ નો કાર્યકમ ચાલુ કરવામાં આવેલ છે. હાલમાં ચાલતા રવિ સીઝનમાં જે કેનાલમાં પાણી આપવામાં આવી રહયું છે. તેમાં ભયંકર રીતે પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેમાં નર્મદાની કેનાલોમાં તેમજ મચ્છુ– ૨ સિંચાઈ યોજનાની કેનાલોમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે અને વધારાનું પાણી છેક દરિયામાં કે રણ વિસ્તારમાં જઈ રહ્યું છે જે ટીકર પાસેના રણમાં જતું જોવામાં આવી રહ્યું છે.

એક બાજુ વડાપ્રધાન જળ સંચય માટે લોકોને આહવાન કરે છે. ત્યારે બીજી બાજુ સરકારી તંત્ર દ્વારા ભયકર બે દરકારી રાખીને પાણીનો બગાડ થઇ રહ્યો છે મોરબીની મચ્છુ – ૨ કેનાલનો કમાન્ડ વિસ્તાર વધારવા અને કેનાલને લંબાવવા તેમજ મચ્છુ– ૩ ની કેનાલો ચાલુ કરવા અને તેને લંબાવવા તેમજ ડેમી– ૩ ની કેનાલો ચાલુ કરવા તથા તેનો કમાંડ વધારવા માટે ખેડૂતો દ્વારા  વારંવાર  રજુઆતો થતી આવી છે. મોરબી માળિયા વિસ્તારના બાવન ગામોની કેનાલ લંબાવવાની માંગણીનો સરકાર કઈ વિચાર પણ કરતી હોય તેવું લાગતું  નથી તો બીજી તરફ મચ્છુ– ૨ ની કેનાલમાં જેટલું પાણી ખેડૂતો દ્વારા સિંચાઈ માટે લેવામાં આવે છે. તેનાથી ત્રણથી  ચાર ગણા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

હાલમાં આ પાણી વોકળાઓ, વહેણો, મારફત છેક મોટા દહીસરના તળાવ  સુધી પહોચેલ છે, અને રસ્તામાં આવતા ગામોના તળાવો પણ ભરાઈ જવા પામેલ છે. જો સરકાર પાસે એટલું બધું પાણી છે તો શા માટે? કેનાલ ને લંબાવી ને ખેડૂતોને પાણી આપવા માટે વિચારવામાં આવતું નથી. શા માટે ? આવો બગાડ થવા દેવામાં આવે છે. ? તેવી જ રીતે નર્મદા કેનાલ ના  કમાન્ડ વિસ્તાર ના ઘણા ગામોમાં  કેનાલો તેમજ વોટર કોર્ષ ન થવાના કારણે સિંચાઈના પાણીના લાભથી વંચિત છે. જયારે પાણીનો બગાડ થતા પાણી રણ વિસ્તારમાં પહોચવા પામેલ છે. તો એક બાજુ જ સંચયની વાત અને કે બાજુ પાણી નો બગાડ આવી નીતિ શા માટે? જેથી કરીને મચ્છુ- ૨, મચ્છુ-૩, ડેમી -૩ ની કેનાલો લંબાવીને  નીચે આવતા ગામોને સિંચાઈનો લાભ આપવા યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News