મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા 36 કલાકનો સ્પર્ધાત્મક પરીક્ષાનો ફ્રી વર્કશોપ યોજાશે
વાંકાનેરના રાણેકપર-પલાસ ગામમાં કાલે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
SHARE
વાંકાનેરના રાણેકપર-પલાસ ગામમાં કાલે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
વાંકાનેર તાલુકાના રાણેકપર અને પલાસ ગામમાં હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇક્કો એમસી ના સહયોગથી રવિવારે તા.૨૬ ના રોજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
હેલ્પેજ ઇન્ડિયા ટીમ દ્વરા વાંકાનેરના રાણેકપર અને પલાસ ગામે ઇક્કો એમસી ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર સેવા આપશે. અને પલાસ ગામે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ કલાકે પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે અને રાણેકપર ગામે બપોરે ૨:૩૦ થી ૫:૩૦ સુધી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તો વાંકાનેરની જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા સંસ્થા દ્વારા તેમજ પલાસ ગામના સરપંચ હેમંતભાઈ, રાણેકપર ગામે હુસેનભાઈ શેરસીયા અપીલ કરેલ છે