ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે


SHARE













મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું ગત તા. ૧૧/૨ ના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બાદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ સગીરા કોઈ જગ્યાએથી ન મળતા ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામે રહેતા રવિ રમેશભાઈ સરસાવડીયા જાતે પટેલ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી રવિ રમેશભાઈ સરસાવડીયા જાતે પટેલ (૨૦) રહે. જીવાપર ચકમપર મોરબી વાળાની ધરપકડ કરલે છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

કચ્છ જિલ્લાના શિકારપુરમાં રહેતા તૈયેબ ગુલમમદ માણેક (૩૨) નામના યુવાનને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી પાસે કેનાલ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા માણેકને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચતુરભાઈ મગનભાઈ ખરા નામના વ્યક્તિને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પૈસાની લેતીદેતી બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચતુરભાઈ ખરાને ઈજા થયો હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા છે






Latest News