મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી પોર્ટે સ્થાનિક લોકોને રોજગારી-આશા વર્કરોને પગાર વધારો આપવાની માંગ


SHARE













મોરબીના નવલખી પોર્ટે સ્થાનિક લોકોને રોજગારી-આશા વર્કરોને પગાર વધારો આપવાની માંગ

મોરબીના નવલખી પોર્ટ ખાતે સ્થાનિક કામદારોને રોજગારી મળે તેમજ આશા વર્કર બહેનોને જે પગાર વધારો કરવામાં આવ્યો છે તે પગાર વધારો ચૂકવવામાં આવે તેના માટે થઈને આજે કામદાર પ્રગતિશીલ મંડળના નેજા હેઠળ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેઓની માંગણી વહેલી તકે સંતોષવામાં આવે તેવી લાગણી આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી  

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરી ખાતે જઈને કામદાર પ્રગતિશીલ મંડળના નેજા હેઠળ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવલખી પોર્ટ ઉપર સ્થાનિક કામદારોને પ્રાથમિકતા આપી રોજગારી આપવામાં આવે અને બંધારણીય અધિકારનું પાલન કરવામાં આવે, ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ સ્થાનિક કામદારોની નોકરીનેમાં ભરતી કરવામાં આવે, ગુજરાત સરકારનું લઘુતમ વેતન અને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે, નવલખી પોર્ટ ઉપર કોલસો ઉતરતા મત્સ્ય કામદારો બેકાર બની બેઠા છે તેઓને રોજગારીનો વિકલ્પ આપવામાં આવે, પાણીમાં પડતા કોલસાને કાઢવા માટે બિન ઉપયોગી કોલસાનો નિકાલ કરવા માટે બેકાર બનેલા માછીમારોને કામ સોંપવામાં આવે અને બેકાર બનેલા કામદારોને તાત્કાલિક અસરથી રાહત ભાવે અનાજ આપવું અને બીપીએલ કાર્ડમાં તેનો સમાવેશ કરવો તેવી માંગણીઓ કરવામાં આવી છે તેની સાથોસાથ આશા વર્કર બહેનોને ઓક્ટોબર 2023 થી પગાર વધારો કરવામાં આવ્યો છે જો કે હજુ સુધી તે મુજબ ચુકવણું કરવામાં આવેલ નથી જેથી કરીને આશા વર્કર બહેનોને પગાર વધારા મુજબનો પગાર ચૂકવવામાં આવે તેવી માગણી અને લાગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે તે લોકોની માગણીઓને સંતોષવામાં આવે તેવું આગેવાનોએ જણાવ્યું છે






Latest News