મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં દંપતી સાથે ઝઘડો કરીને બે શખ્સોએ મહિલાને મારમાર્યો
મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં ગુમાવેલા લોકોના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ
SHARE
મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં ગુમાવેલા લોકોના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ
મોરબીમાં કોરોના કાળ તેમજ ઝૂલતા પૂલનાં ગુમાવેલા સદગતની આત્માની શાંતિ અર્થે તેમજ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાકાંઠે સોઓરડીમાં તા. ૨૭ થી ૫ માર્ચ સુધી આ કથા ચાલવાની છે અને કથા અંબિકા ગરબી ચોક ખાતે બપોરના ૩ થી ૬ કલાકે સુધી ચાલુ રહેશે આગામી તા. ૨ ના કૃષ્ણ જન્મોત્સવ, તા. ૪ ના રૂક્ષ્મણી વિવાહ, તા. ૫ ના સુદામા મિલન જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ કરવામાં આવશે જેથી તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ કથામાં વ્યાસપીઠેથી મોરબીના ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સોઓરડી વિસ્તારના લોકો, સર્વ મિત્રમંડળ, સર્વ સામાજિક- સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો જહેમત ઉઠાવી રહી છે.