વાંકાનેર-મોરબીમાં દારૂની ત્રણ રેડ: ૨૫ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા
મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
SHARE
મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાનમાં પાણીની ટાંકીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપર વાળી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાન ખાતે ચોકીદાર તરીકે નોકરી કરતા વિજયભાઈ ધીરજલાલ પારેખ જાતે વાણીયા (૫૮) કોઈ કારણોસર ગઈકાલે સાંજે પોણા છ વાગ્યા પહેલા સ્મશાનમાં આવેલ ગેસ આધારિત ભઠ્ઠીની પાછળના ભાગમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જતા વિજયભાઈ પારેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મુનાભાઈ ધીરજભાઈ પારેખ (૫૧) રહે. સુમતિનાથ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીઓનું જાણવા મળ્યું છે