મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE















મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાનમાં પાણીની ટાંકીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપર વાળી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાન ખાતે ચોકીદાર તરીકે નોકરી કરતા વિજયભાઈ ધીરજલાલ પારેખ જાતે વાણીયા (૫૮) કોઈ કારણોસર ગઈકાલે સાંજે પોણા છ વાગ્યા પહેલા સ્મશાનમાં આવેલ ગેસ આધારિત ભઠ્ઠીની પાછળના ભાગમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જતા વિજયભાઈ પારેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મુનાભાઈ ધીરજભાઈ પારેખ (૫૧) રહે. સુમતિનાથ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીઓનું જાણવા મળ્યું છે






Latest News