માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના જીઆઇડીસીમાંથી દારૂની ૨૪ બોટલ સાથે ત્રણ પકડાયા


SHARE













મોરબીના જીઆઇડીસીમાંથી દારૂની ૨૪ બોટલ સાથે ત્રણ પકડાયા

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના સનાળા રોડ જીઆઇડીસી નજીકથી બાતમીના આધારે ૨૪ બોટલ દારૂ સાથે ત્રણને પકડી પાડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ દારૂ તેમજ જુગારની બદીને ડામવા અને કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા અને સ્ટાફ દારૂ-જુગારની પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય મોરબી સીટી એ ડીવીઝન સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે બાતમી મળેલ કે શનાળા રોડ જી.આઇ.ડી.સી.માં એસઆર પેકેજીંગ કારખાના પાછળ અમુક ઇસમો ઇગ્લીશ દારૂની હેરાફેરી કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા સ્થળ ઉપરથી પાર્થભાઇ ગૌતમભાઇ મહેતા રહે.મોરબી શકતશનાળા પી.જી.વી.સી.એલ કોલોની સામે, મયુરભાઇ પ્રેમજીભાઇ સોલંકી રહે.મોરબી નાનીવાવડી અને ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ મારૂતીનગર -૧ મુળ રહે.તારાણા મોરાણા ઇગ્લીશદારૂની ૨૪ બોટલો કિંમત રૂા.૧૦,૫૦૦ સાથે મળી આવતા ગુન્હો દાખલ કરી લોકઅપ હવાલે કરવામા આવેલ છે.અને દારૂ કેસમા રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટીનું નામ ખુલતા તેનીસામે પણ ગુનો નોંધીને તેને પકડવા તજવીજ ચાલુ કરેલ છે.રેડની કામગીરી પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News