માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની વચગાળાના જામીન માટેની અરજીનો સાતમીએ ઓર્ડર


SHARE













મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની વચગાળાના જામીન માટેની અરજીનો સાતમીએ ઓર્ડર

મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જુલતા પુલ દુર્ઘટનામાં પકડાયેલા જયસુખભાઈ પટેલ દ્વારા વચગાળાના જામીન માટે અરજી મુકવામાં આવી હતી જેમાં આજરોજ બંને પક્ષના વકીલની દલીલ પૂર્ણ થયેલ છે અને આગામી તારીખ 7 ના રોજ વચગાળાના જામીન માટે ઓર્ડર કરવામાં આવશે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તે દુર્ઘટના માં કુલ મળીને 135 લોકોના મોતની નિપજયા હતા જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 10 આરોપીઓને પકડ્યા છે અને તે તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે દરમિયાન જયસુખભાઈ પટેલના ઓરેવા ગ્રુપ દ્વારા મૃતકો તથા ઇજાગ્રસ્તોને વચગાળાનું વળતર ચૂકવવા માટેની તૈયારી બતાવવામાં આવી હતી જેથી કરીને હાઇકોર્ટે એક મહિનાની અંદર તે વળતરની રકમ ચૂકવવા માટે તેને કહ્યું છે અને આ રકમ ચૂકવવા માટે થઈને જયસુખભાઈ પટેલ દ્વારા તેના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ની અંદર વચગાળાના જામીન માટે થઈને અરજી મૂકી હતી

 

જેની આજરોજ સુનાવણી હોય જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા જુદી જુદી કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓને વળતરની રકમ ચૂકવવા માટે થઈને જેલમાંથી 15થી 20 દિવસના વચગાળાના જામીન આપવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી તો સામા પક્ષેથી સરકારી વકીલ એવી દલીલ કરી હતી કે દુર્ઘટના બન્યા બાદ ત્રણ મહિના સુધી જયસુખભાઈ પટેલ ફરાર હતા અને એક મહિનાથી તે મોરબીની સબ જેલમાં છે અને તેમ છતાં પણ તેઓની ઓરેવા ગ્રુપ કંપની ચાલુ છે જોકે તેને હજુ સુધી કોઈને કોઈ પણ પ્રકારની વળતરની રકમ ચૂકવી નથી માટે તે પહેલા વળતરની રકમ ચૂકવીને ત્યારબાદ જામીન માટે અરજી કરે તેવી દલીલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી અને આગામી 7 તારીખના રોજ કોર્ટ ઓર્ડર કરશે આ કેસમાં ભોગ બનેલા વ્યક્તિઓના વકીલ તરીકે રોકાયેલા રાજકોટના નરેન્દ્રસિંહ જાડેજા તથા મોરબીના દિલીપભાઈ અગેચાણીયા દ્વારા પણ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેને પણ કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવશે






Latest News