મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
SHARE
મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨ થી શરૂ થયેલી પ્રણાલી મુજબ આ વર્ષે પણ પારિતોષિક અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય ધર્મવીરજી શાસ્ત્રી, ડો. બી.એમ. શર્મા, પ્રો.મનહરભાઈ શુદ્રા, દીપેનભાઈ ભટ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા અને બાળકો માટે પ્રેરણાદાયી ઉત્સાહવર્ધક માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા અને ૯૦ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં ક્લાસીસમાં સંપૂર્ણ હાજર રહેનાર બાળકોને પ્રમાણપત્ર-શિલ્ડ તેમજ ધો. ૧૦ અને ૧૨ (કોમર્સ) માં દરેક પ્રકારે આગળ પડતા, મહેનતુ, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી એક સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીને શિલ્ડ, પ્રમાણપત્ર અને ૫૦૦૧ નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું આ વર્ષે ધો. ૧૦ માં પરમાર સ્નેહા મનીષભાઈ અને ધો. ૧૨ મા ચાવડા ચેતન દીપકભાઈને સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી ઘોષિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં પણ “સમાજ આપણને આપે છે, આપણે સમાજને આપવું જ જોઈએ" એ ભાવથી આ ક્લાસીસ કાર્ય કરે છે અને ધો. ૫થી ૧૨ (કોમર્સ) ના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે અને તેવું ક્લાસીસના સંચાલક મયુરભાઈ શુક્લ અને અલ્પેશભાઈ ગાંધીએ જણાવ્યુ છે