મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE













મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨ થી શરૂ થયેલી પ્રણાલી મુજબ આ વર્ષે પણ પારિતોષિક અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય ધર્મવીરજી શાસ્ત્રીડો. બી.એમ. શર્મા, પ્રો.મનહરભાઈ શુદ્રાદીપેનભાઈ ભટ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા અને બાળકો માટે પ્રેરણાદાયી ઉત્સાહવર્ધક માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા અને ૯૦ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં ક્લાસીસમાં સંપૂર્ણ હાજર રહેનાર બાળકોને પ્રમાણપત્ર-શિલ્ડ તેમજ ધો. ૧૦ અને ૧૨ (કોમર્સ) માં દરેક પ્રકારે આગળ પડતામહેનતુશ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી એક સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીને શિલ્ડપ્રમાણપત્ર અને ૫૦૦૧ નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું આ વર્ષે ધો. ૧૦ માં પરમાર સ્નેહા મનીષભાઈ અને ધો. ૧૨ મા ચાવડા ચેતન દીપકભાઈને સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી ઘોષિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં પણ સમાજ આપણને આપે છેઆપણે સમાજને આપવું જ જોઈએ" એ ભાવથી આ ક્લાસીસ કાર્ય કરે છે અને ધો. ૫થી ૧૨ (કોમર્સ) ના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણપરિવાર નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે અને તેવું ક્લાસીસના સંચાલક મયુરભાઈ શુક્લ અને અલ્પેશભાઈ ગાંધીએ જણાવ્યુ છે






Latest News