મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી રાજકોટ સારવારમાં લઈ જવાયેલ અજાણ્યા યુવાનનું મોત
મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીમા વાવડી રોડ ઉપર રહેતો યુવાન એસિડ પી ગયો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતો સુરેશભાઈ લાભુભાઈ જીજવાડીયા (૩૦) નામનો યુવાન વાવડી રોડે એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સુરેશભાઈનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાનની માતાના કહેવા પ્રમાણે મૃતક યુવાનને માનસિક બીમારી હતી જેથી કંટાળીને તેને અંતિમ પગલું ભરી લીધું છે