મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન
Breaking news
Morbi Today

સાવધાન: મોરબી જિલ્લામાં ધૂળેટીએ જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ


SHARE













સાવધાન: મોરબી જિલ્લામાં ધૂળેટીએ જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ

મોરબી  જિલ્લામાં હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને તે સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યાં પ્રમાણે હોળી તથા ધૂળેટીના તહેવારોમાં યુવાનો અને બાળકો જાહેર રસ્તાઓ ઉપર તથા શેરીઓમાં/ગલીઓમાં દોડાદોડી કરી જાહેરમાં ચાલતા ટ્રાફીકને અડચણરૂપ બને છે. જે અટકાવવાનું ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત જાહેર સુલેહ અને સલામતી જાળવવા તથા કોમી એખલાસ જળવાઇ રહે તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી અથવા તેવા કોઇપણ પ્રકારના પ્રવાહીઓ ફેકવા ઉપર અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર પોતાના હાથમાં રાખવા પર તથા ખુલ્લા વાહોનોમાં સ્વાસ્થ્યને નુકસાનકારક પ્રવાહી લઇ જવા પર તથા આકસ્મિક બનાવ ન બનવા પામે કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત કે કોઇને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવા ઉપર પ્રતિબંધ મુકવાની  આવશ્યકતા જણાય છે.

જેને ધ્યાને લઇ તા. ૭ થી ૮ ના રાત્રિના ૧૨ વાગ્યા સુધી કોઇપણ ઇસમ  અથવા ઇસમોને જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અથવા તેવા કોઇપણ પ્રકાર પ્રવાહિઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર ફેકવા પર તથા તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર કે પોતાના હાથમાં રાખવા પર તથા જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત કે કોઇને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અવરોધ કરવા પર તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે






Latest News