મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની શિબિર સંપન


SHARE













મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની શિબિર સંપન

આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદીતનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત,માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવજીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,અસ્ત,વ્યસ્ત છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ધ્યાન શિબિર ચૌદ દિવસ સુધી મોરબીમાં ઈડન હિલ ખાતે દશ દિવસ અને ચાર દિવસ કેશવ ફાર્મ-સજ્જનપર ખાતે કુદરતી વાતાવરણમાં, પ્રકૃતિની ગોદમાં યોજાઈ હતી જેમાં સાધકોએ રાજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરી સાધકોએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરી હતી ત્યારે ઘણા સાધકોએ વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી, માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું  સાધકોએ પ્રાપ્ત કર્યું હતું, શિબિરને સફળ બનાવવા નવણિતભાઈ કુંડારિયા,ડાહ્યાભાઈ સહિતના એસએસવાય શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News