મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે શાળામાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE







મોરબીના વનાળીયા ગામે શાળામાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.  ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું તદુપરાંત વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રત્યેની લાગણી તથા સમગ્ર અભ્યાસ દરમિયાન થયેલા અનુભવો, પ્રતિભાવો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા યુ.એસ. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તેમજ વાલીઓના હસ્તે હોલ ટિકીટ અને મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના શિક્ષણવિદ હાજીભાઈ સુમરા દ્વારા શાળાને પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા આ તકે આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 






Latest News