વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે શાળામાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE













મોરબીના વનાળીયા ગામે શાળામાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.  ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું તદુપરાંત વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રત્યેની લાગણી તથા સમગ્ર અભ્યાસ દરમિયાન થયેલા અનુભવો, પ્રતિભાવો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા યુ.એસ. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તેમજ વાલીઓના હસ્તે હોલ ટિકીટ અને મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના શિક્ષણવિદ હાજીભાઈ સુમરા દ્વારા શાળાને પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા આ તકે આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 






Latest News