કિશોરીઓ કુશળ બને સુત્રને સાર્થક કરવા મોરબીમાં સશક્ત-સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો
મોરબીના વનાળીયા ગામે શાળામાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
SHARE
મોરબીના વનાળીયા ગામે શાળામાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું તદુપરાંત વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રત્યેની લાગણી તથા સમગ્ર અભ્યાસ દરમિયાન થયેલા અનુભવો, પ્રતિભાવો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા યુ.એસ. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તેમજ વાલીઓના હસ્તે હોલ ટિકીટ અને મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના શિક્ષણવિદ હાજીભાઈ સુમરા દ્વારા શાળાને પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા આ તકે આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.









