વાંકાનેરમાં સેડના કામ માટે દોઢ લાખની લાંચ લેતા મહિલા સરપંચનો દિકરો રંગેહાથ ઝડપાયો
Morbi Today
મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઈ પટેલના વચગાળાના જામીન માટેની અરજી રદ
SHARE
મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઈ પટેલના વચગાળાના જામીન માટેની અરજી રદ
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે ૧૦ પૈકીનાં અજંતા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલે દ્વારા મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી વચ્ચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી હતી જેને કોર્ટે રદ્દ કરેલ છે
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે અને તે તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ દ્વારા વચગાળાના જામીન માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેના વકીલ મારફતે અરજી મૂકવામાં આવી છે. જેમાં હાઇકોર્ટમાં ચાલી રહેલ રિટ પીટીશન અંતર્ગત જે વળતર ચૂકવવા માટે સૂચના આપવામાં આવી છે તેના બેન્કિંગ કામ માટે તેઓને વચ્ચગાળાના જામીનની અરજી કરેલ છે અને આ અરજીની આગામી સુનાવણી ગત તા. ૪ માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે મોરબીની સેશન્સ કોર્ટે જયસુખભાઇ પટેલની વચગાળાના જામીન માટે અરજી રદ કરેલ છે









