મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ પર રહેતા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં


SHARE













મોરબીના લીલાપર રોડ પર રહેતા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અકળ કારણોસર તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામ નજીક આવેલ લીલાપર રોડ ઉપરની વિલ્સન પેપર મીલ પાસે આવેલ ત્રિદેવનગરમાં રહેતો પરેશ જેઠાભાઇ સોલંકી નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘેર ગઈકાલે કોઇ કારણોસર ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જેથી બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના કે.એમ.સોલગામાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.મોરબીના ખાનપર ગામનો રહેવાસી અશ્વિન છગનભાઈ જાકાસણીયા નામનો યુવાન ગામ નજીક આવેલ પુલ પાસેથી પસાર થતો હતો ત્યારે તેને પોલીસે અટકાવીને તેની ઝડતી લેતા અશ્વિન જાકાસણીયા પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૩૭૫ ની કિંમતની વિદેશી દારૂની એક બોટલ સાથે તેની ધરપકડ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ટંકારા મારામારી

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા ગામે આવેલ ઇનીસિયા પોલિપેક નામના યુનિટના લેબર કવાટરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચારેક લોકોને ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉપરોકત મારામારીના બનાવમાં જીતેન્દ્ર સાંઇનારાયણ રામ (૩૫), ધરમદાસ રામપ્રસન્ન રામ (૨૮) સાલીનકુમાર શ્રીરામસુંદર પાસ્વાન.(૨૦) અને ધર્મેન્દ્ર સકુલભાઇ રામ (૩૦) નામના ચાર યુવાનોને ઈજાઓ થતા તેઓને રાજકોટ ખસેડાયા છે. બનાવને પગલે નોંધ કરીને ટંકારા પોલીસ મથકના મુકેશભાઈ ચાવડાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ સાંતોલા નામની ૨૬ વર્ષીય મહિલાને ગઈકાલે ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ભાવનાબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News