ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે ફીઝીયોથેરાપી શરૂ થશે-કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે ફીઝીયોથેરાપી શરૂ થશે-કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના જાણીતી  ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફીઝીયોથેરાપી યુનિટ કાર્યરત કરવામાં આવશે. તેમજ ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી આગામી તા ૧૧ અને ૧૨ ના રોજ રૂપાબેન જગદીશભાઈ ઝવેરીએ તેની દીકરી નેહલબેન વિદિતભાઇ શાહના શુભલગ્ન પ્રસંગે આર્થીક સહયોગ આપીને કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું છે

મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ શ્રી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત રાહત દરે ફીઝીયોથેરાપી યુનિટ શરૂ કરવામાં આવી રહ્યું છે અને આગામી તા. ૧૦ ને શુક્રવારથી આ યુનિટને શરૂ કરવામાં આવશે જેમાં અનુભવી ફીઝીયોથેરાપીસ્ટ ડો.નિધી વૈભવ દફતરી દ્વારા સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સુધી સેવા આપવામાં આવશે અને રોડરજજુ અને મણકાને લગતી તકલીફો, ઓપરેશન પછીની કસરતો અને સાંધાનો ઘસારો સહિતની સારવાર પ્રદાન કરવામાં આવશે તેવું ટ્રસ્ટીએ જણાવ્યુ છે.

કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબીમાં ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું તા ૧૧ અને ૧૨ માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું છે અને રૂપાબેન જગદીશભાઈ ઝવેરીના દીકરી નેહલબેન વિદિતભાઇ શાહના શુભલગ્ન પ્રસંગે તેમના તરફથી આ કેમ્પ માટે આર્થીક સહયોગ આપવામાં આવ્યો છે આગામી શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્વમાં આવ્યું છે જેમાં શનિવારે સાંજે ૪ થી ૭ અને રવિવારે સવારે ૯ થી ૧૨ સુધી દર્દીઓનું નિદાન કરવામાં આવશે આ કેમ્પમાં મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી દર્દીઓને સેવા આપશે વધુમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહએ જણાવ્યુ છે કે, દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ નોંધાવવાનું રહેશ






Latest News