મોરબીના ઝૂલતા પુલને રીપેર કરીને જાહેર જનતા માટે ફરી ખુલ્લો મુકવાની માંગ ઉઠી
Morbi Today
મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે બાળકોને અપાયું માર્ગદર્શન
SHARE
મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે બાળકોને અપાયું માર્ગદર્શન
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન બાબતે બાળકોમાં જાગૃતિ આવે તે માટે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન મિશન મોરબી જિલ્લા દ્વારા શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં નશાકારક દ્રવ્યોથી થતા નુકશાન અને જાગૃતિ અંગેની તાલીમ યોજાઈ હતી.આ તકે કૌતુંબેન પાંચિયા દ્વારા બાળકોને મુદાસરનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમ શાળાના આચાર્ય અમૂલભાઇ જોષીએ યાદીમાં જણાવેલ છે









