મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક લાકડધાર રોડે ઓરડીમાંથી ૩૪ બોટલ દારૂ-૨૦ બીયરના ટીન સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE











વાંકાનેરના ઢુવા નજીક લાકડધાર રોડે ઓરડીમાંથી ૩૪ બોટલ દારૂ-૨૦ બીયરના ટીન સાથે એક પકડાયો, એકની શોધખોળ

વાંકાનેરના ઢુવા ગામ પાસે લાકડધાર રોડે આવેલ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે સ્થળ ઉપરથી ૩૪ બોટલ દારૂ તથા બિયરના ૨૦ ટીન એમ કુલ મળીને ૧૪૭૫૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ચમનભાઈ ચાવડા, હરિશ્ચંદ્રસિંહ ઝાલા અને રવિભાઈ કલોત્રા ઢુવા પોલીસ ચોકી ખાતે હતા ત્યારે ચમનભાઈ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે વાંકાનેર તાલુકાના રહેતા નવા ઢુવા ગામે રહેતા અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણની લાકડધાર રોડે આવેલ ઓરડીમાં દારૂ બિયરની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૪ તથા બિયરના ૨૦ ટીન મળી આવ્યા હોય પોલીસે દારૂ બિયરનો ૧૪૭૫૦ ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણની ધરપકડ કરેલ છે અને તેના મિત્ર કૃપાલસિંહ વઠીસંગ મકવાણા રહે. હાલ નવા ઢુવા વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેના પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં રહેતા અરવિંદભાઈ કરસનભાઈ રાઠોડ (૩૬) નામના યુવાનને તે તેના ઘરે હતો ત્યારે તેના માતા શાંતાબેન કરસનભાઈ રાઠોડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા અરવિંદભાઈ કરસનભાઈ રાઠોડને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા ઉકાભાઇ સોમાભાઈ દેલવાડીયા (૬૫) પાણીની કુંડીમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને હાલમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હોય હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News