મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત


SHARE















મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત

મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન બંનેના મોત નીપજયા છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ કોજી સિરામિકના લેબર ક્વાર્ટરમાં યુવક અને યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન પ્રથમ યુવકનું મોત નીપજયું હતું અને ત્યારબાદ યુવતીનું મોત નીપજયું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે કોજી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ચોટીલાના રહેવાસી વિનોદભાઈ મોહનભાઈ બથવાર (૧૯) અને મૂળ એમપીની રહેવાસી પિંકી (૧૮) બંનેએ સજોડે લેબર ક્વાર્ટરમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રથમ વિનોદભાઈ બથવારનું મોત નીપજયું હતું અને ત્યારબાદ સારવાર દરમિયાન મોડી રાત્રે પિંકીનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News