મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત


SHARE













મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત

મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન બંનેના મોત નીપજયા છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ કોજી સિરામિકના લેબર ક્વાર્ટરમાં યુવક અને યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન પ્રથમ યુવકનું મોત નીપજયું હતું અને ત્યારબાદ યુવતીનું મોત નીપજયું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે કોજી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ચોટીલાના રહેવાસી વિનોદભાઈ મોહનભાઈ બથવાર (૧૯) અને મૂળ એમપીની રહેવાસી પિંકી (૧૮) બંનેએ સજોડે લેબર ક્વાર્ટરમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રથમ વિનોદભાઈ બથવારનું મોત નીપજયું હતું અને ત્યારબાદ સારવાર દરમિયાન મોડી રાત્રે પિંકીનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News