મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મેટાડોર થાંભલા સાથે અથડાવનાર ડ્રાઇવર તથા તેના કાકાને કારખાનેદારે લાકડી-પાઇપ વડે ફટકાર્યા


SHARE















મોરબીમાં મેટાડોર થાંભલા સાથે અથડાવનાર ડ્રાઇવર તથા તેના કાકાને કારખાનેદારે લાકડી-પાઇપ વડે ફટકાર્યા

મોરબીના શનાળા રોડ ગ્રીનસિટી પાસે રહેતા અને કડિયા કામ કરતા આદિવાસી યુવાન અને તેના ભત્રીજાને કારખાનેદાર દ્વારા વાંસની લાકડી અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવામાં આવતા ઈજાગ્રતને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ગ્રીનસિટી પાસે આવેલ વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરીનું કામ કરતા રાજુભાઈ વસ્તાભાઈ માવી (ઉંમર ૩૬) અને તેના ભત્રીજા મુકેશ માવીને લીલાપર-કેનાલ રોડ ઉપર આવેલ સ્વસ્તિક પ્લાસ્ટિક નામના કારખાના પાસે પ્લાસ્ટિકના પાઇપ અને વાંસની લાકડી વડે માર મારવામાં આવતા સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.નિતેષભાઈ પટેલ દ્વારા તેઓને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયા તથા રાઇટર વાસુદેવભાઈ આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ રાજુભાઈ માવી કડિયા કામનું કામ કરે છે અને તેનો ભત્રીજો મુકેશ માવી સ્વસ્તિક પ્લાસ્ટિકમાં મેટાડોર ચલાવવાનું કામ કરે છે દરમિયાનમાં તેણે મેટાડોર થાંભલા સાથે અથડાવી નુકસાની પહોંચાડી હોય તે બાબતે સ્વસ્તિક પ્લાસ્ટિકના કારખાનેદાર દ્વારા બંનેને લાકડી તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે ફટકારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

બેરીકેટ સાથે બાઈક અથડાતા મહિલાને ઈજા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા પૂજાબેન પિયુષભાઈ શુક્લ નામના ૪૫ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા પહોંચતા તેઓને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા સારવાર કર્યા બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, પૂજાબેન પિયુષભાઈ શુક્લ નામની ૪૫ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જેતપર-પીપળી રોડ ઉપરથી જતા હતા તે દરમ્યાનમાં રસ્તા ઉપરના બેરીકેટ સાથે બાઇક અથડાયું હતું અને બાઈક નીચે પડી જવાથી તેઓને ઇજાઓ પહોંચી હતી હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News