મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક કેનાલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી


SHARE















મોરબીના સાપર નજીક કેનાલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામની સીમમાં આવેલ પાવરીયાળી કેનાલ પાસેથી અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ડેડબોડી મળી આવી હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે કોઈ અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ડેડબોડી પડી હતી જેથી કરીને ઈકબાલભાઈ ગુલામભાઈ તે ડેડબોડીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ અંગે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાન કોણ છે..? તેની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આગળની તજવીજ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

અકસ્માતમાં ઘવાયેલ યુવાનને સારવારમાં

મોરબીના સરતાનપર ગામ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને મોરબી લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ગામ પાસે સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ સરોજકુમાર શિવશંકર મહંતો નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે





Latest News