મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક કેનાલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી


SHARE













મોરબીના સાપર નજીક કેનાલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામની સીમમાં આવેલ પાવરીયાળી કેનાલ પાસેથી અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ડેડબોડી મળી આવી હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે કોઈ અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ડેડબોડી પડી હતી જેથી કરીને ઈકબાલભાઈ ગુલામભાઈ તે ડેડબોડીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ અંગે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાન કોણ છે..? તેની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આગળની તજવીજ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

અકસ્માતમાં ઘવાયેલ યુવાનને સારવારમાં

મોરબીના સરતાનપર ગામ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને મોરબી લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ગામ પાસે સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ સરોજકુમાર શિવશંકર મહંતો નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે





Latest News