મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી નજીક ખાનગી બસ ઉપર હુમલાના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના જ ઘરમાં કેમ કર્યો આપઘાત ?


SHARE















મોરબી નજીક ખાનગી બસ ઉપર હુમલાના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના જ ઘરમાં કેમ કર્યો આપઘાત ?

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ખાનગી બસ ઉપર હુમલી કરવામાં આવ્યો હતો તે ગુનામાં અગાઉ પકડાયેલ અને મોરબીના નીચી માંડલ ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરી નાખવામાં આવી છે જો કે, આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને કોઈ જાણ કરવામાં આવી નથી જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે

મોરબી નજીકના પીપળી ગામેથી અમદાવાદ મામેરુ કરવા માટે ગયેલ પરિવાર થોડા દિવસો પહેલા રાત્રીના સમયે પરત આવી રહ્યો હતો ત્યારે ચરડવા ગામ પાસે ચા પીવા માટે ટ્રાવેલ્સને હોટલ પાસે ઉભી રાખવામાં આવી હતી ત્યારે ત્યાં કેટલાક શખ્સો ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારબાદ ત્યાં બોલાચાલી થઈ હતી અને રોષે ભરાયેલા આ શખ્સો દ્વારા બસનો પીછો કરીને બસને આંતરીને બસ ઉપર પથ્થર મારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી તે પૈકીનાં એક આરોપીએ તેના ઘરે આપઘાત કર્યો હોવાનું માહિતી સામે આવી રહી છે

હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે રહેતા વિજયભાઇ વશરામભાઇ બજાણીયાએ તેના જ ઘરની અંદર બુધવારે રાતે તેના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી ગઇકાલે તેના પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી જો કે, આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને કોઈ જાણ કરવામાં આવી નથી તેવું પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યું છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને હાલમાં નાના એવા ગામમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે પોલીસે આગળ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું છે






Latest News