ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો
મોરબીના બેલા (આ) ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના બેલા (આ) ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા ગોપાલભાઈ દેસાભાઇ ચાવડા (૪૦) પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને શાંતિલાલ દેસાભાઇ ચાવડા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાત કરતા બનાવી નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે જો કે, યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એસ. ડાંગર તપાસ ચલાવી રહ્યા છે